બેંગલુરુ:બેંગલુરુની એક વિશેષ અદાલતે કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન જમીન સંબંધિત મામલામાં કથિત ભ્રષ્ટાચાર (file criminal case against former Karnataka CM) બદલ યેદિયુરપ્પા સામે વિશેષ ફોજદારી કેસ ચલાવવાનો આદેશ આપવામાં (former Karnataka CM B.S. Yediyurappa) આવ્યો છે. આ કેસ તે સમયનો છે, જ્યારે યેદિયુરપ્પા 2006-07માં ભારતીય જનતા પાર્ટીની ભાજપ-જનતા દળ (સેકલુર) ગઠબંધન સરકારમાં નાયબ મુખ્યપ્રધાન હતા.
આ પણ વાંચો:Sri Lanka crisis: શ્રીલંકાનું સંકટ વધુ વકર્યું, રાષ્ટ્રપતિના આવાસ બહાર વિરોધ હિંસક બન્યો, 10 ઘાયલ
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ: કર્ણાટકમાં ચૂંટાયેલા સાંસદો/ધારાસભ્યોને લગતા ફોજદારી કેસોના નિરાકરણ માટે ખાસ રચવામાં આવેલી વિશેષ અદાલતના સેશન જજ બી.કે. જયંત કુમારે વાસુદેવ રેડ્ડીની અંગત ફરિયાદના આધારે 26 માર્ચે આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(d) r/w કલમ 13(2) હેઠળ સજાપાત્ર ગુના માટે, આરોપી નંબર 2B. s યેદિયુરપ્પા સામે વિશેષ ફોજદારી કેસ નોંધવો જોઈએ. CrPC ની કલમ 204(2) હેઠળ જરૂરી સાક્ષીઓની યાદી દાખલ કર્યા પછી જ, આરોપી નંબર બેને તેમની હાજરી માટે બોલાવો અને પ્રોસેસિંગ ફીની ચુકવણી કરો.