ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Union Law Minister Kiren Rijiju : કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુનો આરોપ, કોંગ્રેસ એકતાના નામે ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે - કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુનો આરોપ

રાહુલ ગાંધી આજે મોદી સરનેમ કેસમાં દોષિત ઠરવા સામે ગુજરાતની કોર્ટમાં અપીલ દાખલ કરશે. તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહેશે. આ અંગે કાયદા પ્રધાન કિરેન રિજિજુએ પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે, આ રીતે કોંગ્રેસ ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Union Law Minister Kiren Rijiju : કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુનો આરોપ, કોંગ્રેસ એકતાના નામે ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે
Union Law Minister Kiren Rijiju : કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુનો આરોપ, કોંગ્રેસ એકતાના નામે ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે

By

Published : Apr 3, 2023, 4:31 PM IST

નવી દિલ્હી :કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સોમવારે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ ન્યાયતંત્ર પર 'અનુચિત દબાણ' લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે સુરતની કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે પાર્ટીના નેતાઓની યોજના પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધી તેમની 'મોદી સરનેમ' ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા સામે ગુજરાતના સુરતની કોર્ટમાં અપીલ દાખલ કરવા સોમવારે ત્યાં પહોંચશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, અન્ય રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ પણ તેમની સાથે આવી શકે છે.

કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું મારો પ્રશ્ન સીધો છે : રાહુલ ગાંધીના વકીલોએ કહ્યું કે, સેશન્સ કોર્ટ સોમવારે જ આ મામલાની સુનાવણી હાથ ધરી શકે છે. કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, "મારો પ્રશ્ન સીધો છે. કોંગ્રેસ ન્યાયતંત્ર પર આ પ્રકારનું અનુચિત દબાણ કેમ લાવવાનો પ્રયાસ કરી રહી છે. ન્યાયિક મામલાઓને ઉકેલવાના રસ્તાઓ છે, પરંતુ શું આ રસ્તો છે?" તેમણે પૂછ્યું કે, શું આવો કોઈ મામલો સામે આવ્યો છે જ્યારે કોઈ પક્ષ કોર્ટનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો :કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં ડરો મતના લાગ્યા પોસ્ટરો

કાયદા પ્રધાન કિરેન રિજિજુએ પૂછ્યું કે શું પરિવાર દેશથી ઉપર છે : કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સંસદમાં પત્રકારોને કહ્યું કે, "જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કામ કરે છે, ત્યારે તેઓ ED ઓફિસનો ઘેરાવો કરવા માંગે છે. જ્યારે CBI કામ કરે છે, ત્યારે તેઓ CBIનો ઘેરાવો કરવા માંગે છે. જ્યારે કોર્ટ તેનો ચુકાદો આપે છે, ત્યારે તેઓ તેનો ઘેરાવો કરવા માંગે છે," કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સંસદમાં પત્રકારોને જણાવ્યું હતું. કોર્ટ પરિસરનો ઘેરાવો કરવા માંગે છે. આવી પ્રવૃત્તિઓ લોકશાહીને નબળી પાડે છે અને દરેક ભારતીય દ્વારા તેની નિંદા થવી જોઈએ." કોર્ટમાં જતા સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને તેમની સાથે રાખવાની રાહુલ ગાંધીની યોજનાને "એક પરિવારની ખુશામત" તરીકે વર્ણવતા, કાયદા પ્રધાન કિરેન રિજિજુએ પૂછ્યું કે, શું પરિવાર દેશથી ઉપર છે.

આ પણ વાંચો :Rahul Gandhi Appeal: સુરત કોર્ટમાં સજાને પડકારવા પહોચ્યા રાહુલ ગાંધી, પ્રિયંકા પણ દેખાયા લડવાના મૂડમાં

ABOUT THE AUTHOR

...view details