ગુજરાત

gujarat

ETV Bharat / bharat

70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે: દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસ નેતાની વિવાદીત ટિપ્પણી - उदित राज नमक द्रौपदी मुर्मू

કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર વાંધાજનક ટિપ્પણી (congress leader udit raj on president murmu ) કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, કોઈ પણ દેશને આવા રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ. તેણે આવું કેમ કહ્યું તે જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ.

70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે: દ્રુપદી મુર્મુ પર કોંગ્રેસ નેતાની વિવાદીત ટિપ્પણી
70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે: દ્રુપદી મુર્મુ પર કોંગ્રેસ નેતાની વિવાદીત ટિપ્પણી

By

Published : Oct 6, 2022, 4:22 PM IST

Updated : Oct 6, 2022, 4:59 PM IST

નવી દિલ્હીઃકોંગ્રેસ નેતા ઉદિત રાજે એવું નિવેદન આપ્યું છે, (congress leader udit raj on president murmu ) જેને લઈને વિવાદ થઈ શકે છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે ટિપ્પણી કરી છે. ઉદિત રાજે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુ જેવો રાષ્ટ્રપતિ ન મળવો જોઈએ.

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કેરાષ્ટ્રપતિએ એવું નિવેદન કરીને યોગ્ય કર્યું નથી કે 70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે. ભારતીય જનતા પાર્ટીએ આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, તેમની ભાષા સ્વીકાર્ય નથી.

ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ભૂતકાળમાં પણ આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા રહ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તાજેતરમાં ગુજરાતની બે દિવસીય મુલાકાતે ગયા હતા.

આ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, દેશનું 76 ટકા મીઠું ગુજરાતમાં બને છે. ગુજરાતનું મીઠું બધા દેશવાસીઓ ખાય છે, એમ કહી શકાય.

Last Updated : Oct 6, 2022, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details