ગુજરાત

gujarat

By

Published : Dec 25, 2022, 4:39 AM IST

ETV Bharat / bharat

CHRISTMAS 2022: જાણો શું છે નાતાલનું મહત્વ

ક્રિસમસ એ (CHRISTMAS 2022) ખ્રિસ્તી ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. નાતાલને ખ્રિસ્તી ધર્મનું નવું વર્ષ પણ કહેવામાં આવે છે. લાંબા સમય સુધી ક્રિસમસ માત્ર પશ્ચિમી અને ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા દેશો પૂરતું જ સીમિત હતું. પરંતુ હવે તે ભારત સહિત અન્ય ઘણા દેશોમાં ઉજવવામાં (PREPARATION FOR CHRISTMAS) આવે છે.

Etv BharatCHRISTMAS 2022: જાણો શું છે નાતાલનું મહત્વ
Etv BharatCHRISTMAS 2022: જાણો શું છે નાતાલનું મહત્વ

હૈદરાબાદ:નાતાલ એ (CHRISTMAS 2022) ખ્રિસ્તી ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. ક્રિસમસ ડે દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. પરંતુ નાતાલની ઉજવણીની શરૂઆત એક દિવસ અગાઉ એટલે કે 24 ડિસેમ્બરથી જ થાય છે. ખ્રિસ્તી ધર્મના લોકો આ દિવસને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવે છે. લાંબા સમય સુધી, ક્રિસમસ ફક્ત પશ્ચિમી અને ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા દેશોમાં જ સીમિત હતો. પરંતુ હવે તે ભારતમાં ખ્રિસ્તી સહિત તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે.

નાતાલના દિવસે ઈસુ ખ્રિસ્તને યાદ કરવામાં આવે છે: નાતાલના દિવસ પહેલા, 24મી ડિસેમ્બરની મધ્યરાત્રિથી ઉજવણી શરૂ થાય છે. લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે. ખ્રિસ્તી ધર્મના લોકો તેમના આરાધ્ય ઈસુ ખ્રિસ્તને યાદ કરે છે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 25 ડિસેમ્બરે ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

ખ્રિસ્તી ધર્મમાં નાતાલનો દિવસ મહત્વપૂર્ણ છે: નાતાલનો (IMPORTANCE OF CHRISTMAS) દિવસ ઉજવવા પાછળની માન્યતા એ છે કે ભગવાને તેમના પુત્રને લોકોને પાપમાંથી મુક્ત કરવા મોકલ્યો હતો. એવું કહેવાય છે કે લોકોને પાપમાંથી મુક્ત કરવા ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

ક્રિસમસ ડેનો ઈતિહાસ:નાતાલના (history of christmas day) દિવસનો ઈતિહાસ સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે રોમ દેશમાં પ્રથમ વખત ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 25 ડિસેમ્બરને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ અથવા નાતાલના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. નાતાલને ખ્રિસ્તી ધર્મનું નવું વર્ષ પણ કહેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details