- કોવિડના વધતા જતા કેસ વચ્ચે રસીને એક મોટો ઉપાય
- ભૂપેશ બધેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રસીની કિંમતમાં ઘટાડો કરવા માંગ
- ખાનગી હોસ્પિટલોને 800 રૂપિયાના દરે રસી આપશે
છત્તીસગઢ : દેશભરમાં કોવિડના વધતા જતા કેસ વચ્ચે રસીને એક મોટા ઉપાય તરીકે જોવામાં છે. પરંતુ દેશમાં રસીની વિશાળ અછત છે. આ સિવાય રસીના ખર્ચને લઈને પણ ઘણા મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રસીની કિંમત એકસરખી કરવી જોઇએ તેવી માંગ કરી છે.
રાજ્ય સરકારોને 400 અને ખાનગી હોસ્પિટલોને 800 રૂપિયાના દરે રસી આપશે
મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષ વર્ધનને પત્ર લખીને કોરોના રસીના ઓછામાં ઓછા ભાવ નક્કી કરવા વિનંતી કરી છે. જેથી સમગ્ર દેશને સમાન દરે રસી મળી શકે. મુખ્યપ્રધાને પત્રમાં લખ્યું છે કે 'સીરમ ઇન્સ્ટિટ્યૂટે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તેઓ રાજ્ય સરકારોને રસી દીઠ 400 રૂપિયાના દરે અને ખાનગી હોસ્પિટલોને રસી દીઠ 800 રૂપિયાના દરે આપશે. જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અત્યાર સૂધી રસી 150 રૂપિયા દરે આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં પુખ્ત વયના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી અપાશે