ગુજરાત

gujarat

કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSPમાં કરાયો વધારો

By

Published : Sep 8, 2021, 5:10 PM IST

મોદી સરકારની બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠેક દરમ્યાન રવિ પાકની એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSPમાં કરાયો વધારો
કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSPમાં કરાયો વધારો

  • કેન્દ્ર સરકારનો ખેડૂત તરફી નિર્ણય
  • રવિપાકના MSPમાં કર્યો વધારો
  • ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય

ન્યૂઝ ડેસ્ક: એક તરફ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેની વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની તરફેણમાં મહત્વનો નિર્ણય લીધો. કેન્દ્રીય કેબિનેટ દ્વારા વર્ષ 2022 - 23ની સિઝનમાં રવિ પાકની ન્યૂનતમ સમર્થન મુલ્યમાં (MSP)માં વધારો કર્યો કર્યો છે. કેન્દ્ર સરકારે ઘઉંના એમએસપીમાં 40 રૂપિયાનો વધારો કર્યો છે. જે હવે 2015 સુધી પહોંચી ગઇ છે. જ્યારે જવારની એમએસપીમાં 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી સરકાર MSPમાં કરી રહ્યાં છે વધારો

આ સિવાય પણ સરકારે મસૂર અને સરસવના પાક માટે પણ 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એમએસપીનો વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી લગભગ બધા જ રવિ પાકના એમએસપીમાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ પાકની એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે તેમણે ખેડૂતોની આવક બમણી કરવા માટે આ નિર્ણય લીધો છે.

ABOUT THE AUTHOR

...view details