- લખનઉમાં આજે બહુજન સમાજ પાર્ટીનું પ્રબુદ્ધ વર્ગનું સંમેલન
- BSP પ્રદેશ મુખ્ય મથક પર યોજાશે પાર્ટીનું પ્રબુદ્ધ વર્ગનું સંમેલન
- સંમેલનમાં BSP સુપ્રીમો પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે
લખનઉઃ BSP સુપ્રીમો માયાવતી મંગળવારે વિધાનસભા ચૂંટણી 2022ના રણમાં કૂદશે. તેઓ લખનઉમાં થનારા પ્રબુદ્ધ વર્ગ સંમેલનને સંબોધિત કરશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી જીતીને સત્તા પર આવવા માટે બહુજન સમાજ પાર્ટી (BSP) દરેક સ્તર પર ચૂંટણીની તૈયારીઓને આગળ વધારી રહી છે. મંગળવારે BSP પ્રદેશ મુખ્ય મથકમાં પાર્ટીનું પ્રબુદ્ધ સંમેલન યોજાશે, જેમાં BSP અધ્યક્ષ પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે અને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો શંખનાદ કરશે.
આ પણ વાંચોઃપંજાબમાં વીજળીના સંકટને લઇને માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
સંમેલન અંગે ગયા મહિને જાહેરાત થઈ હતી
ચૂંટણી પહેલા પ્રબુદ્ધ વર્ગમાં ખાસ કરીને બ્રાહ્મણોને પાર્ટીમાં જોડવા અને તેમને વોટમાં ફેરવવા અંગે BSP સતત સક્રિય છે. ગયા મહિને બહુજન સમાજ પાર્ટી (BSP)એ બ્રાહ્મણોને જોડવા માટે મોટા સ્તર પર પ્રબુદ્ધ સંમેલન કરવાની જાહેરાત કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને બસપાનો બ્રાહ્મણ ચહેરો સતીષચંદ્ર મિશ્રના નેતૃત્ત્વમાં રાજ્યભરના તમામ જિલ્લામાંથી પ્રબુદ્ધ જન સંમેલન કરવામાં આવ્યા હતા.