ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન
Braking News :ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન - 19 સપ્ટેમ્બરના સમાચાર
![Braking News :ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન Braking News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13105910-thumbnail-3x2-break.jpg)
17:51 September 19
ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન
17:16 September 19
પંજાબના મુખ્યપ્રધાનના નામની જાહેરાત પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં
- પંજાબના મુખ્યપ્રધાનના નામની જાહેરાત પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં
16:06 September 19
ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારો કાયદાઓ લાવીશું : મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી
- મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
- રાજ્યના લોકોની સુખાકારી માટે વિભાગો કામ કરતા હોય છે.
- કાયદો નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થાય
- લોકોને સરળતાથી ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા
- સારા કાયદાઓ લાવવામાં આવ્યા છે.
- ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારા કાયદાઓ લાવીશું
- જમીન ના વેચાણ બાદ નોંધની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે..
- આવનાર દિવસોમાં મામલતદાર સાથે વીડિયો કૉન્ફ્રરન્સ યોજાશે
- હક પત્રકની નોંધ બાબતે પણ કાળજી લેવામાં આવશે.
- હકપત્રક માં અધિકારી દ્વારા નોંધ લેવામાં નહિ આવી હોય તો ખાતાકીય કાર્યવાહી કરિશ : ત્રિવેદી
- બિન ખેતી લાયક જમીનમાં અનેકપ્રશ્નો ઉભા થયા છે.
- રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે લોકોને હાલાકી પડી છે.
- રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે થશે
- ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તાઉતે વાવાઝોડા અનેક લોકોએ સારા કામ કર્યા
- વાવાઝોડામાં મ 50 હજાર લોકો તૈયાર થયા છે.
- સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં "આપદા મિત્ર" તરીકે કામ કરશે.
- કેશડોલમાં આજે કોઈ બાકાત નથી રહ્યું
- તમામ લોકોને સહાય ચૂકવાઈ ગઈ છે.
- આવનારા દિવસોમાં કલેકટર સાથે બેઠકો યોજીશું.
- મહેસુલ વિભાગમાં આવનાર દિવસોમાં કડક હાથ કામ થશે.
15:54 September 19
ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે
- ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે
- ગુજરાતના મુખ્યપ્રધાનનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે પ્રથમવાર દિલ્હી જશે
- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે
- ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે મળશે
15:42 September 19
પાટણ: શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખરાટ
- પાટણ: શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખરાટ
- શહેરના પદ્મનાભ વિસ્તારની એક સોસાયટીના 5 બંધ મકાનોને બનાવ્યા નિશાન
- તસ્કર ટોળકીની એમોબી જોઈએ તો દર સની રવી પાટણ માં પધરામણી હોય છે અને બંધ મકાનોને નિશાન બનાવતા
- હાલ એક મકાન માલિક બહાર ગામ હોવાથી તેમને ત્યાં ચોરી માં શું ગયું છે તે અનિશ્ચિત
- 4 મકાનોમાં ફાંફા મારવા છતાં ખાસ હાથ લાગ્યું નથી
15:41 September 19
સુખજિંદર સિંહ રંધાવા બની શકે છે પંજાબના નવા મુખ્યમંત્રી, થોડી વારમાં સત્તાવાર જાહેરાત-સૂત્રો
- સુખજિંદર સિંહ રંધાવા બની શકે છે પંજાબના નવા મુખ્યમંત્રી, થોડી વારમાં સત્તાવાર જાહેરાત-સૂત્રો
15:17 September 19
રાજેન્દ્ર ત્રિવેદીએ આજે મહેસુલ પ્રધાન તરીકે સંભાળ્યો ચાર્જ
- ગાંધીનગર : મહેસુલ પ્રધાન તરીકે આજે સંભાળ્યો ચાર્જ.
- રાજેન્દ્ર ત્રિવેદી આજે મહેસુલ પ્રધાન તરીકે સંભાળ્યો ચાર્જ.
- સ્વાર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
14:56 September 19
નડિયાદના શ્રેયસ ગરનાળામાં ટેમ્પો ચાલક ફસાયો
- ખેડા: નડિયાદ શ્રેયસ ગરનાળાની ઘટના
- નડિયાદના શ્રેયસ ગરનાળામાં ટેમ્પો ચાલક ફસાયો
- ગરનાળામાં પાણી વધતા ટેમ્પો ચાલક ફસાયો
- ટેમ્પો ચાલક ટેમ્પા પર બેસી ગયો
- ભારે વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે બની ઘટના
- ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલ ટેમ્પો ડ્રાઇવરનું રેસ્ક્યુ શરૂ કર્યું
- ફાયર બ્રિગેડની ટીમે 30 મિનિટને જહેમત બાદ ટેમ્પા ચાલકને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો
14:21 September 19
ગાંધીનગર: નવા પ્રધાનમંડળના પ્રધાનોને ફાળવવામાં આવ્યા બંગલા
- ગાંધીનગર: નવા પ્રધાનમંડળના પ્રધાનોને ફાળવવામાં આવ્યા બંગલા
- કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને 6 નંબરનો બંગલો ફાળવાયો
- કેબિનેટ પ્રધાન જીતુ વાઘણીને 4 નંબરનો બગલો ફળવાયો
- કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલને 21 નંબરનો બંગલો ફળવાયો
- કેબિનેટ પ્રધાન પુરણેશ મોદીને 11 નંબરનો બંગલો ફળવાયો
- કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલને 37 નંબરનો બંગલો ફાળવાયો
- કેબિનેટ પ્રધાન કનું દેસાઈને 22 નંબરનો બંગલો ફળવાયો
- કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણાને 10 નંબરનો બંગલો ફળવાયો
- કેબિનેટ પ્રધાન નરેશ પટેલને 33 નંબરનો બંગલો ફ્લવ્યો
- કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારને 38 નંબરનો બંગલો ફ્લવ્યો
- કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણને 37 નંબરનો બંગલો ફાળવ્યો
14:20 September 19
રાજકોટ લોધિકા તાલુકાના વાગુદળ ખાતે નદીમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબીયા
- રાજકોટ લોધિકા તાલુકાના વાગુદળ ખાતે નદીમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબીયા
- 4 યુવાનોમાંથી 2 યુવાનોના ડૂબી જવાના કારણે થયા મોત.
13:55 September 19
નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવો વળાંક
- નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવો વળાંક
- મૃતક રવિ જાદવના ભાઈ નિતેશ જાદવે જાહેર કર્યુ નિવેદન
- મૃતક રવિ અને સુનિલની હત્યા પ્રકરણમાં પોલીસ તપાસ સામે જણાવ્યો સંતોષ
- પોલીસ સામે કોઈ રજૂઆત કે વિરોધ નહીં
- રાજકિય પક્ષો અને આદિવાસી સંગઠનો પોતાનો સ્વાર્થ સાધવા પરિવારને બદનામ કરવાના આક્ષેપ
- રેલી-ધરણાના આયોજનથી કોઈ લેવા દેવા નહીંની વાત
- કાયદાકિય પ્રશ્ન કે સુલેહ શાંતિનો ભંગ થાય તો જવાબદારી નહીં
13:49 September 19
મને CM બનવાની ઓફર થઈ પણ મેં ઈનકાર કર્યો છે, હું માનું છું કે પંજાબમાં શીખ જ મુખ્યપ્રધાન બનવો જોઈએ : અંબિકા સોની
- મને CM બનવાની ઓફર થઈ પણ મેં ઈનકાર કર્યો છે, હું માનું છું કે પંજાબમાં શીખ જ મુખ્યપ્રધાન બનવો જોઈએ : અંબિકા સોની
13:44 September 19
ગાંધીનગર : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી
- ગાંધીનગર : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી
- રવિવારના દિવસે પણ ગૃહવિભાગની કામગીરી નિહાળવા પહોંચ્યા
- ઓચિંતી મુલાકાત લઇને ગૃહ વિભાગને ચોંકાવી દીધા
- ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા હાજર
13:33 September 19
આણંદ: વિઘ્નહર્તા ગણેશજીને આણંદ શહેરના યુવક મંડળો દ્વારા ગોયા તળાવમાં શ્રીજીને વિદાય આપવામાં આવી
- આણંદ: વિઘ્નહર્તા ગણેશજીને આણંદ શહેરના યુવક મંડળો દ્વારા ગોયા તળાવમાં શ્રીજીને વિદાય આપવામાં આવી
- અગ્નિશામક વિભાગ આણંદ દ્વારા ગણેશ વિસર્જનમાં સારી કામગીરી કરવામાં આવી રહી છે
- દિવસ દરમિયાન 300 થી 350 જેટલી નાની મોટી મૂર્તિઓનું થશે વિષર્જન
- વિસર્જનને લઈ જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
- આણંદ જિલ્લામાં અનેક સ્થળોએ વિસર્જન કાર્યક્રમનું થયું આયોજન.
13:33 September 19
અમદાવાદ : મુખ્યપ્રધાન પહોંચ્યા થલતેજ ગુરુદ્વારા
- અમદાવાદ : મુખ્યપ્રધાન પહોંચ્યા થલતેજ ગુરુદ્વારા
- ત્યાં પહોંચી પોતાનું શિસ ઝુકાવી ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા
- ગુરુદ્વારા કમિટીએ કર્યું સ્વાગત
13:27 September 19
અમદાવાદ: પૂર્વ મહેસુલપ્રધાન કૌશિક પટેલ અમદાવાદ કીડની હોસ્પિટલમાં દાખલ
- અમદાવાદ: પૂર્વ મહેસુલપ્રધાન કૌશિક પટેલ અમદાવાદ કીડની હોસ્પિટલમાં દાખલ
- બે દિવસ પહેલા જ કીડની કરાવી હતી ટ્રાન્સપ્લાન્ટ
- CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા તેમને મળવા
11:55 September 19
અમદાવાદ: હવામાન વિભાગની આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- અમદાવાદ: હવામાન વિભાગની આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી
- હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
- બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું
- લો પ્રેશર સિસ્ટમ આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે
- 19-23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા
- ગણેશ ચતુર્થીના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે
- સોમવારે ભાદરવી પૂનમના દિવસે, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે
- અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ
11:48 September 19
સુરત જિલ્લામાં ગણપતિ વિસર્જન કાર્યક્રમો થયા શરૂ
- સુરત જિલ્લામાં ગણપતિ વિસર્જન કાર્યક્રમો થયા શરૂ
- કીમ,કુદસદ,નવાપરા વિસ્તારના ગણપતિ મંડળો ગણપતિ વિસર્જન માટે કીમ નદી પહોંચ્યા
- કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
- પોલીસ સાથે ફાયરવિભાગની ટીમ પબ ખડેપગે
11:45 September 19
કોરોના રસીકરણનો ગ્રાફ શેર કરીને રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો, લખ્યું- 'ઇવેન્ટ ઓવર'
- કોરોના રસીકરણનો ગ્રાફ શેર કરીને રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો, લખ્યું- 'ઇવેન્ટ ઓવર'
10:25 September 19
ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન, અંદાજે 30 કિલોથી વધુનો હેરોઇન જબ્ત
- ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન
- 30 કિલોથી વધુ હેરોઇન કરવામાં આવ્યું કબ્જે
- આંતરરાષ્ટ્રીય બજારમાં જેની 5 કરોડની આજુબાજુ થઈ રહી છે કિંમત
- ડ્રગ્સ લઈ જઈ રહેલી બોટમાં 7 ઈરાની નાગરિક હતા સવાર
- ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે અને ગુજ. ATS પકડી બોટ
09:40 September 19
કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, રિકટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઇ
- કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો
- આજે સવારના 8.38 વાગ્યે આવ્યો આંચકો
- રિકટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઇ
- આંચકાનો કેન્દ્ર બિંદુ દુધઈથી 26 કી.મી દૂર નોંધાયું
09:36 September 19
કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,773 નવા કેસ, 309 દર્દીઓના મોત
- કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,773 નવા કેસ, 309 દર્દીઓના મોત
09:26 September 19
દેશમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 80.43 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા
- દેશમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 80.43 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા
09:11 September 19
સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ વિશર્જનની શરૂઆત થઇ ચુકી છે
- સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ વિશર્જનની શરૂઆત થઇ ચુકી છે.
- ભક્તો શ્રીજીને આખોભીની વિદાઈ આપી રહ્યા છે.
- આ વખતે ગણેશ વિશર્જનનો માહોલ કાંઈક અલગ જ છે.
- તાપી નદી અને અને ડુમસ માં ગણેશ વિસર્જન ઉપર પ્રતિબંધ.
- શહેરમાં 60% લોકોએ પોતાના ઘરના આંગણે જ વિશર્જન કરવામાં આવશે.
- ગણેશ વિસર્જન માટે મનપાએ 17 કૃત્રિમ તળાવો બનાવ્યા.
- એક ગણેશ મંડળ ના વધુમાં વધુ 15 સભ્યો વિસર્જન યાત્રામાં જોડાઈ શકશે.
- સવારે 7 વાગ્યાથી ગણેશ વિસર્જન શરૂ થશે જે મોડી રાત સુધી ચાલશે.
- 8 હજાર થી વધુ પોલીસ કર્મીઓ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો.
- શહેરના રાજમાર્ગ સહિત ના રસ્તાઓ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો.
08:57 September 19
સીએમ ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ રાજીનામું આપ્યું
- સીએમ ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ રાજીનામું આપ્યું
08:53 September 19
Punjab CM: સુનિલ જાખડ બની શકે છે પંજાબના નવા મુખ્યપ્રધાન, નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમની બની રહી છે ફોર્મ્યુલા
- Punjab CM: સુનિલ જાખડ બની શકે છે પંજાબના નવા મુખ્યપ્રધાન
- નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમની બની રહી છે ફોર્મ્યુલા
08:44 September 19
કેરળમાં પહેલી નવેમ્બરથી ખોલવામાં આવશે શાળાઓ, રાજ્ય સરકારે લીધો નિર્ણય
- કેરળમાં પહેલી નવેમ્બરથી ખોલવામાં આવશે શાળાઓ
- રાજ્ય સરકારે લીધો નિર્ણય
07:40 September 19
ગોવામાં સોમવારથી તમામ પ્રવાસન ગતિવિધિઓ ફરીથી શરુ થઈ જશે
- ગોવામાં સોમવારથી તમામ પ્રવાસન ગતિવિધિઓ ફરીથી શરુ થઈ જશે
07:15 September 19
આજે સવારે 11 વાગ્યે પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, સીએમના નામ પર વાગશે અંતિમ મહોર
- આજે સવારે 11 વાગ્યે પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક
- સીએમના નામ પર વાગશે અંતિમ મહોર
06:46 September 19
Braking News : ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન
BiggBoss OTT: ચરણસિંહ ચન્ની હશે પંજાબના આગામી મુખ્યપ્રધાન