ગુજરાત

gujarat

By

Published : Jul 26, 2021, 9:09 PM IST

ETV Bharat / bharat

આસામ-મિઝોરમ બોર્ડર પર ફાયરિંગમાં 6 જવાનોના મોત

આસામ-મિઝોરમ વચ્ચેના વિવાદિત સીમાક્ષેત્રમાં ફરી એક વખત હિંસા ભડકી છે. જેને લઈને બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો વચ્ચે ટ્વિટર પર વિવાદ સર્જાયો હતો.

આસામ-મિઝોરમ બોર્ડર પર ફાયરિંગમાં 6 જવાનોના મોત
આસામ-મિઝોરમ બોર્ડર પર ફાયરિંગમાં 6 જવાનોના મોત

  • પૂર્વોત્તર રાજ્યોમાં વધ્યું સીમાકીય ટેન્શન
  • આસામ-મિઝોરમના વિવાદિત સીમાક્ષેત્રમાં હિંસા
  • બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો ટ્વિટર પર એકબીજા સાથે બાખડ્યા

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શિલોંગમાં પૂર્વોત્તરના તમામ મુખ્યપ્રધાનો યોજી તેના 2 દિવસ બાદ સોમવારે આસામ-મિઝોરમના વિવાદિત સીમાક્ષેત્રમાં હિંસા ભડકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના કછાર જિલ્લા અને મિઝોરમ કોલાસિબ જિલ્લામાં સીમાવર્તી વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. જેમાં 6 જવાનોના મોત થયા છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મિઝોરમના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને શું કહ્યું ?

આ ઘટનાને લઈને બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો ટ્વિટર પર આમનેસામને આવી ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે, બન્નેએ પોતપોતાના ટ્વિટમાં ગૃહપ્રધાન અમિત શાહને ટેગ કર્યા હતા. લાકડીઓ લઈને હિંસા પ્રસરાવી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો શેર કરીને મિઝોરમના મુખ્યપ્રધાન જોરમથંગાએ અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.

આસામના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને શું કહ્યું ?

આસામના મુખ્યપ્રધાન હિંમતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને મિઝોરમના મુખ્યપ્રધાનને કહ્યું હતું કે, કોલાસિબ (મિઝોરમ)ના SP મને મારા પદ પરથી હટવાનું કહી રહ્યા છે, ત્યાં સુધી તેમના નાગરિક ન તો કોઈને સાંભળશે, ન તો હિંસા રોકશે. અમે આવી પરિસ્થિતિમાં સરકાર કેવી રીતે ચલાવી શકીએ ? આ સાથે તેમણે અમિત શાહને ટેગ કરીને લખ્યું હતું કે, આશા છે કે આપ જલ્દી જ હસ્તક્ષેપ કરશો.

164.6 કિલોમીટર લાંબી છે બન્ને રાજ્યો વચ્ચેની સરહદ

મિઝોરમના 3 જિલ્લાઓ આઈજોલ, કોલાસિબ અને કછાર આસામ સાથે 164.6 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. સીમા નિર્ધારણને લઈને આ ક્ષેત્રોમાં ઘણા વર્ષોથી વિવાદ થતો રહે છે અને આ વખતે પણ બન્ને રાજ્યોના સ્થાનિકોએ એક-બીજા પર ઘૂસણખોરીના આક્ષેપો કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details