ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં બોટ દુર્ઘટના : 82 લોકોને બચાવવામાં આવ્યા, સર્ચ ઓપરેશન ચાલુ - Boat collides

બુધવારે આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં બે મશીન બોટ ટકરાઈ હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ બંને મશીન બોટમાં 100થી વધુ પ્રવાસી સવાર હતાં. હાલમાં બચાવ કાર્યકરો દ્વારા 82 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

આસામમાં બોટ દુર્ઘટના, સામસામી બે બોટ અથડાતાં કેટલાંક લોકો ડૂબવાની આશંકા, પીએમે વ્યક્ત કરી સંવેદના
આસામમાં બોટ દુર્ઘટના, સામસામી બે બોટ અથડાતાં કેટલાંક લોકો ડૂબવાની આશંકા, પીએમે વ્યક્ત કરી સંવેદના

By

Published : Sep 8, 2021, 8:24 PM IST

Updated : Sep 9, 2021, 8:52 AM IST

  • આસામના જોરહાટમાં બોટ દુર્ઘટના
  • બે બોટ સામસામી અથડાતાં કેટલાક પ્રવાસી ડૂબવાની આશંકા
  • 82 પ્રવાસીઓને બચાવતી રેસ્ક્યૂ ટીમ

ગુવાહાટી: બ્રહ્મપુત્રા નદીમાં બુધવારે બે મશીન બોટ ટકરાઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર કેટલાક પ્રવાસી ગુમ થયાં હોવાના સમાચાર છે. જોરહાટમાં માજુલીથી નિમાતીઘાટ જતી બોટ નિમાટીઘાટથી માજુલી તરફ આવી રહેલી બીજી બોટ સાથે અથડાઈ ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાને લઇ સંવેદના વ્યક્ત કરી છે તેમ જ ઝડપી બચાવકાર્યની તાકીદ કરી હતી.

મહિલાઓ બાળકો સહિત 100 પ્રવાસી

જોરહાટના એડિશનલ ડીસી દામોદર બર્મને જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા નદીમાં બોટ દુર્ઘટનામાં 40 લોકોને બચાવવામાં આવ્યા છે. અન્યની શોધખોળ ગોતાખોરો દ્વારા ચાલુ છે. નદી કિનારે હાજર લોકોએ જણાવ્યું હતું કે, બંને મશીન બોટમાં પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ પ્રવાસી હતાં. મશીન બોટમાં મુસાફરો ઉપરાંત કેટલાક ફોર વ્હીલર અને ટુ વ્હીલર પણ હતાં.

બોટ દુર્ઘટનામાં 40 લોકોને બચાવવામાં આવ્યા

બચાવ કામગીરી શરુ

અંતરિયાળ જળ પરિવહન અધિકારીઓ પાસે ગુમ થયેલા પ્રવાસી વિશે કોઈ માહિતી નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે ઘટનાની માહિતી મળતાં તેમણે નદીમાં પડેલા લોકોને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સરકારે 10683 કરોડ રૂપિયાની ટેક્સટાઇલ PLI સ્કીમને આપી મંજૂરી, સાડા સાત લાખ લોકોને મળશે રોજગારી

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSPમાં કરાયો વધારો

Last Updated : Sep 9, 2021, 8:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details