ભાજપને આશા છે કે કેરળમાં ત્રણ દાયકાથી સત્તા યુડીએફ અને એલડીએફ વચ્ચે ફરતી રહે છે તે ચક્રને તે તોડશે, પરંતુ આ કામ તેના માટે આકરાં ચડાણ સમું છે કારણકે તેની પાસે ન તો મજબૂત સંગઠન છે કે ન તો લોકપ્રિય નેતા.
આ બે ઉણપની ભરપાઈ કરવા, ભાજપ ટૅક્નૉક્રેટ ઈ. શ્રીધરનની સ્વચ્છ છબી પર ભારે મદાર રાખી રહ્યો છે. શ્રીધરન દેશની રાજધાનીમાં મહત્ત્વાકાંક્ષી પરિયોજનાનું નિરીક્ષણ કરવા માટે મેટ્રો મેન તરીકે જાણીતા છે અને મધ્યમ વર્ગ તેમજ યુવાન મતદારોમાં તેઓ લોકપ્રિય છે.
તેઓ ભાજપમાં જોડાયા પછી તરત જ, રાજ્યના નેતાઓએ ૮૮ વર્ષીય શ્રીધરનને ભગવા પક્ષના મુખ્ય પ્રધાનના દાવેદાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ ઝડપથી આ સંદેશને અનધિકૃત રાખવા માટે પીછેહટ કરી.
પલ્લક્કડ બેઠક પરથી લડી રહેલા આ ટૅક્નૉક્રેટ માટે પ્રચાર કરતા, વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને સીપીઆઈ-એમના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ પર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો અને સત્તામાં રહેવા મેચ ફિક્સિંગ કરવાનો આક્ષેપ કર્યો.
મોદીએ આક્ષેપ કર્યો કે યુવાન મતદારો યુડીએફ અને એલડીએફ બંનેથી નિરાશ છે અને તેમણે કેરળમાં પરિવર્તન લાવવા વચન આપ્યું.
વર્ષ ૨૦૧૬માં ભાજપને માત્ર એક જ વિધાનસભા બેઠક પર જીત મળી હતી. તેણે એલડીએફ સરકાર સામે વર્ષ ૨૦૧૮માં એક ઝુંબેશ આદરી હતી. એલડીએફ સરકારે સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વચ્ચેની મહિલાઓને પ્રવેશ આપવાના સર્વોચ્ચ ન્યાયાલયના આદેશને ટેકો આપ્યો હતો.