- ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં સાત લોકોના મોત
- 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી
- એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા
કર્ણાટક : કર્ણાટકના બેલગાવી જિલ્લાના બાદલ-અંકલગી ગામમાં બુધવારે ભારે વરસાદને કારણે એક મકાન તૂટી પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સાતમાંથી પાંચનું ઘટનાસ્થળે અને બેનું હોસ્પિટલ જતાં રસ્તામાં મોત થયું હતું. મૃતકોમાં બે લગભગ 8 વર્ષની છોકરીઓ છે.
5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી