ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IPL 16: સ્ટેડિયમનું નામ ભૂપેન હજારિકાના નામ પરથી રાખવામાં આવ્યું, પરિવારે CAAનો કર્યો હતો વિરોધ - भूपेन हजारिका स्टेडियम

ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાનો જન્મ આસામના તિનસુકિયા જિલ્લાના સાદિયા ગામમાં થયો હતો. આસામ ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમનું નામ તેમના નામ પર રાખ્યું છે. તેમણે આવા ઘણા ગીતો ગાયા જે આજે પણ લોકોના હોઠ પર છે. તેમણે આસામને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે.

Bharat Ratan Dr Bhupen Hazarika cricket stadium asam host ipl matches first time
Bharat Ratan Dr Bhupen Hazarika cricket stadium asam host ipl matches first time

By

Published : Feb 19, 2023, 11:41 AM IST

નવી દિલ્હી:IPL 16ની સિઝન 12 દિવસ પછી એટલે કે 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે. 52 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 70 લીગ મેચો રમાશે. ટુર્નામેન્ટ દરમિયાન, 18 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મેચો રમાશે. ડબલ હેડર મેચ બપોરે 3:30 અને 7:30 કલાકે શરૂ થશે. આ મેચો દેશના 12 શહેરોમાં રમાશે. લીગમાં એક ટીમ હોમ ગ્રાઉન્ડ પર સાત મેચ અને વિરોધી ટીમના મેદાન પર સાત મેચ રમશે. આસામના ગુવાહાટીમાં પણ પ્રથમ વખત આઈપીએલની મેચો યોજાશે. ગુવાહાટીના ડો. ભૂપેન હજારિકા સ્ટેડિયમમાં આ મેચો યોજાશે.

ભૂપેન હજારિકા સ્ટેડિયમમાં બે મેચો યોજાશે:બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ અને આ સ્ટેડિયમ આસામ ક્રિકેટ એસોસિએશન (ACA)ના નામથી પણ ઓળખાય છે. IPLના 16 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર IPLની મેચો ભૂપેન હજારિકા સ્ટેડિયમમાં યોજાશે. રાજસ્થાન રોયલ્સ (RR)નું આ બીજું હોમ ગ્રાઉન્ડ છે. આ મેદાન પર બે મેચ રમાશે. આરઆરની પ્રથમ મેચ 5મી એપ્રિલે પંજાબ કિંગ્સ સામે અને બીજી મેચ 8મી એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમાશે.

આ પણ વાંચોIND vs AUS 2nd test: ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા 100મી ટેસ્ટમાં ડક આઉટ

પિચનો રિપોર્ટ: ભૂપેન હજારિકા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ઉત્તમ છે. તાકાત અને ટેકનિક ધરાવતા બેટ્સમેન તેના પર સારા રન બનાવી શકે છે. તેથી, જે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનો પ્રયાસ કરશે અને વિરોધી ટીમને મોટો ટાર્ગેટ આપશે. આ મેદાન પર અત્યાર સુધીમાં બે વનડે અને બે ટી-20 મેચ રમાઈ છે. અહીં છેલ્લી મેચ 2 ઓક્ટોબર 2022ના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી.

આ પણ વાંચોICC Womens T20 World: રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 11 રને હરાવ્યું

ભૂપેન હજારિકાની સિદ્ધિઓ:ભૂપેન હજારિકા ગાયક હોવાની સાથે સાથે સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પણ હતા. આસામી ભાષા ઉપરાંત તેમણે હિન્દી, બંગાળી સહિત અન્ય ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. વર્ષ 2019માં તેમને દેશનો સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમના પરિવારે પણ CAAના વિરોધમાં ભારત રત્ન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજારિકાના બંને પુત્રો વચ્ચે આ બાબતે મતભેદ હતો. હજારિકાને પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details