ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગ આંખોના સ્નાયુઓમાં લોહી પરિભ્રમણને વધારે છે - વ્યગ્ર મુદ્રા

ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમને કારણે કામ વધી ગયું છે. આંખો સતત કૉમ્પ્યુટરમાં વ્યસ્ત હોવાને કારણે આંખોમાં તણાવ વધી જાય છે.

Yoga improves circulation to eye muscles.
યોગ આંખોના સ્નાયુઓમાં લોહી પરિભ્રમણને વધારે છે

By

Published : Aug 10, 2020, 9:51 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમને કારણે કામ વધી ગયું છે. આંખો સતત કૉમ્પ્યુટરમાં વ્યસ્ત હોવાને કારણે આંખોમાં તણાવ વધી જાય છે. ETV ભારત સુખીભવાએ આ વિષય પર કૈવલ્યાધામ યોગ સંસ્થા લોનાવાલાના વૈજ્ઞાનિક સંશોધન વિભાગના જનરલ સર્જન અને યોગ સલાહકાર ડો.સતિષ પાઠક સાથે વાતચીત કરી હતી.

બ્રહ્મા મુદ્રા

3 મહત્વપૂર્ણ યોગ મુદ્રાઓ

બ્રહ્મા મુદ્રા

  • આંખો અને ચહેરાના સ્નાયુઓમાં લોહી પરિભ્રમણ વધારે છે
  • ગરદનને હળવી રાખો. ડાબી બાજુ ફેરવ્યા બાદ થોડો સમય રહીને ગરદનને જમણી બાજુ ફેરવો
  • ગરદનને ધીરે રહીને ઉપર કરો, ત્યારબાદ થોડો સમય રહી ગરદનને નીચે કરો
  • ગરદનને ક્લોકવાઈસ અને એન્ટિ ક્લોકવાઈસ દિશામાં ધીરે ધીરે ફેરવો
  • સલામતીનું ધ્યાન રાખવું. પ્રક્રિયા ધીમે કરવી.
    વ્યગ્ર મુદ્રા

વ્યગ્ર મુદ્રા

  • શ્વાસ લો. મોં ખુલ્લું કરીને શ્વાસ છોડો. જીભને બહાર કાઢો અને આંખો પહોળી રાખો.
  • 3 વખત આ પ્રક્રિયા કરો
  • હાઈપરથાઇરોઇડ સ્થિતિ સાથે એક્ઝોફ્થાલ્મોસ (આંખો આગળ હોવી) હોય તો આ યોગ મુદ્રા કરવી નહીં
  • ગ્લુકોમા (આંખોમાં હાઈ પ્રેશર)
  • ગર્ભવતી મહિલા
    ત્રાટક મુદ્રા

ત્રાટક મુદ્રા

  • 15 વર્ષની ઉંમર પછી કોઈ પણ નિષ્ણાત યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ત્રાટક કરી શકાય છે. બિંદુ પર અથવા જ્યોત પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ગ્લુકોમા ધરાવતા લોકોએ ના કરવું જોઈએ. દરરોજ સવારે 1 મિનીટ અથવા 2 મિનીટ આ મુદ્રા કરવી જોઈએ.
  • દરરોજ સવારે ઉગતા સૂરજને જુઓ.
  • આંખોને ઠંડા પાણીથી ધોવો. ગાજર, કાકડીને આંખો પર લગાવો

વધુ જાણકારી માટે -contact Dr. Satish Pathak atsdpathak7@gmail.com

ABOUT THE AUTHOR

...view details