ઝારખંડ: જામતાડા જિલ્લાના સાવલાપુર ગામથી ચેન્નઈ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1 શ્રમિકનું મોત થવાથી અન્ય શ્રમિકોના પરિવારો ભયભીત થઇ ગયા છે. અન્ય 8 શ્રમિકોના પરિવાર તેમને પાછા લાવવા માટે સરકાર અને વહીવટતંત્ર પાસે મદદ માગી રહ્યાં છે.
ઝારખંડથી ચેન્નઈ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1નું મોત, પરિજનોમાં ચિંતા - ડેપ્યુટી કમિશનર
ઝારખંડના જામતાડા જિલ્લાના સાવલાપુર ગામથી ચેન્નઈ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1નું મોત થવાથી અન્ય શ્રમિકોના પરિવારો ભયભીત થઇ ગયા છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો તેમજ તેના સાથી શ્રમિકોના પરિવારમાં ભયનો માહોલ છે.
![ઝારખંડથી ચેન્નઈ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1નું મોત, પરિજનોમાં ચિંતા ચેન્નઇ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1 શ્રમિકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7608378-556-7608378-1592098963308.jpg)
ચેન્નઇ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1 શ્રમિકનું મોત
આ મામલે જામતાડા જિલ્લાના ડેપ્યુટી કમિશનરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આ મામલે રાજ્ય સરકારને માહિતી આપવામાં આવી છે. તેમજ મૃતદેહને લાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી હતી કે, કામદારોને સમયસર પરત લાવવામાં આવશે.