ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીમાં બે પુત્રો સાથે માતાએ લગાવી આગ, ત્રણેયના મોત

ઉત્તરપ્રદેશમાં સિતાપુરના એક ગામમાં મહિલાએ બે બાળકો સાથે કેરોસીન છાંટી ખુદને આગ લગાવી આત્મહત્યા કરી હતી. આ દુર્ઘટનામાં ત્રણેયના મોત થયાં છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસેપિટલ ખસેડ્યા છે.

By

Published : Apr 20, 2020, 11:42 PM IST

Etv Bharat
uttarpradesh

ઉત્તરપ્રદેશઃ સિતાપુર જિલ્લામાં કોતવાલી ક્ષેત્રના એક ગામમાં મહિલાએ પોતાના બે માસુમ બાળકો સાથે કેરોસીન છાંટી પોતાને આગ લગાવી દીધી હતી. જે દુર્ઘટનામાં માતા પુત્રો સહિત ત્રણેયના મોત થયાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયાં છે.

સોમવારે મહોલી કોતવાલી વિસ્તારના એક ગામમાં સંદરલાલની પત્ની રજની એક દોઢ વર્ષીય પુત્ર પ્રવેશ અન 4 મહિનાનો બીજો પુત્ર છોટું સાથે ઘરે હતી. સુંદરલાલ ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. તેમનું ખેતર ઘરના બાજુમાં છે.

આ દરમિયાન સુંદર લાલના ઘરમાંથી આગનો ધુમાડો નીકળી રહ્યો હતો. આ જોતા જ સુદરલાલ પહોંચ્યા અને જોયું તે પત્ની રજની સહિત બે પુત્રોના આગમાં બળીને મોત થઈ ચુક્યાં હતાં.

જોકે આ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ આત્મહત્યા પાછળ ઘરકંકાસ હતું કે અન્ય કોઈ કારણ એ તપાસ બાદ જ જાણી શકાશે.

ABOUT THE AUTHOR

...view details