ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો કોણ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર... - virsinh village

ન્યૂઝ ડેસ્ક: સંસ્કૃતના પ્રકાંડ વિદ્ધાન એવા વિદ્યાસાગરનો જન્મ 26 સપ્ટેમ્બર, 1820માં બંગાળના મેદિનીપુર જિલ્લાના વીરસિંહ ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતું. તેઓ ગરીબ પરિવારમાંથી આવતા, તેમના પિતાનું નામ ઠાકુરદાસ બન્ધોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતું.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

By

Published : May 15, 2019, 7:12 PM IST

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક મહાન સમાજ સુધારક, લેખક, શૈક્ષણિક અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્ધાન હતા. મહિલાઓનું શિક્ષણ અને તેમની પરિસ્થિતિમાં ક્રાંતિકારી બદલાવ લાવવાનો શ્રેય તેમના ફાળે જાય છે. તેઓ બાળ વિવાહ અને બહુવિવાહ જેવી સામાજિક કુરીતિઓના વિરોધી હતા. વિધવા વિવાહના સમર્થનમાં તેઓએ મોટું આંદોલન કર્યું હતું. પોતાના પુત્રના લગ્ન પણ વિધવા સાથે કર્યા હતા.

તેમના અથાગ પ્રયત્નના કારણે જ વર્ષ 1856માં વિધવા વિવાહ નાબુદ કરી શક્યા જેના કારણે વિધવાઓના વિવાહને એક કાનૂની દરજ્જો મળ્યો. આ પહેલા તેને સામાજિક રીતે કલંકના દ્રષ્ટિકોણથી જોવામાં આવતું હતું. તેમણે મેટ્રોપૉલિટન વિદ્યાલય સહિત ઘણી છોકરીઓ શિક્ષણ મેળવી શકે તે માટે તેમણે શાળા પણ ખોલાવી હતી.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને આધુનિક બંગાળીના જનક પણ કહેવામાં આવે છે. બંગાળી વર્ણમાળાઓમાં તેમણે ઘણું સંશોધન કર્યું છે. તેમણે બંગાળી ટાઈપોગ્રાફીને બાર સ્વર અને ચાળીસ વ્યંજનોની સાથે વર્ણિત અક્ષરોને સુધાર્યા હતા. તેમણે સંસ્કૃત વ્યાકરણ પર પુસ્તક લખ્યું છે.

અલગ-અલગ વિષયો પર તેમની પકડ અને તેમના જ્ઞાનને કારણે લોકોએ તેમનું નામ વિદ્યાસાગર રાખ્યું હતું. તેમણે વર્ષ 1848માં વેતાલ પંચવિંશતિ નામે બંગાળ ભાષામાં પ્રથમ ગ્રંથ પણ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1891માં તેમનું નિધન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details