ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવીડ-19 રોગચાળાને પગલે વોટસ્એપના વપરાશમાં 40 ટકાનો વધારો થયો - વધારો થયો

ડેટા અને કન્સલ્ટીંગ બાબત સાથે સંકળાયેલી કંતાર નામની કંપનીએ વિશ્વમાં કોવિડ-19 રોગચાળાના દરમિયાન કરેલા સર્વેમાં એક ચોંકાવનારુ તારણ આવ્યુ છે કે વોટ્સએપમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોવિડ-19ના તમામ તબક્કામાં સોશિયલ મિડીયામાં વોટ્સએપ એક એવી એપ્લીકેશન છે કે જેનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંકળાયેલા રહેવા માંગે છે. તે ઉપયોગમાં મોટો ફાયદો થયો છે. આમ, એકદંરે વોટસએપના વપરાશમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે.

કોવીડ-19 રોગચાળાને પગલે વોટસ્એપના વપરાશમાં 40 ટકાનો વધારો થયો
કોવીડ-19 રોગચાળાને પગલે વોટસ્એપના વપરાશમાં 40 ટકાનો વધારો થયો

By

Published : Mar 29, 2020, 8:08 PM IST

કંતાર નામની ડેટા અને કન્સલ્ટિંગ કંપનીએ કરેલા સર્વેક્ષણમાં બહાર આવ્યુ છે કે કોવિડ-19ને કારણે લગભગ સમગ્ર વિશ્વ લોકડાઉન છે ત્યારે વોટસએપના વપરાશમાં 40 ટકાનો સુધીનો વધારો થયો છે.

કોવિડ-19ના તમામ સ્તરે વોટસએપએ સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્લીકેશન છે. ત્યારે એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે લોકો વોટસએપનો ઉપયોગ સૌથી ફાયદાકારક છે. જેના કારણે અંદાજે 40 ટકા વધારો જોવા મળ્યો છે.

કંતાર કંપની દ્વારા કોવીડ-19 મહામારી દરમિયાન લોકોનું વલણ, સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા લોકોની આદત, અને તેમની અપેક્ષાઓ અંગે અભ્યાસ કર્યો હતો. કંતાર કંપનીએ અભ્યાસ દરમિયાન એક અંદાજ લગાવ્યો છે કે કોવિડ-19ના પ્રાંરભિક તબક્કામાં વોટસએપનો ઉપયોગ 27 ટકા, વચ્ચેના તબક્કામાં 41 ટકા અને તેના છેલ્લાં તબક્કામાં વધીને 51 ટકા સુધી પહોંચી શકે તેમ છે.

સ્પેનમાં વોટસ્એપ પસાર સમયમાં 76 ટકાનો વધારો થયો છે. તો ફેસબુકના વપરાશમાં 37 ટકાનો વધારો થયો છે. ચીને

સ્પેનમાં વોટ્સએપ પર ખર્ચવામાં સમયનો 76 ટકાનો વધારો થયો છે. એકંદરે ફેસબુકના વપરાશમાં 37 ટકાનો વધારો થયો છે. ચીને વેચેટ અને વીબો સહિત સ્થાનિક સોશિયલ મીડિયા એપ્લિકેશનોના ઉપયોગમાં 58% નો વધારો અનુભવ્યો. તો ચીનમાં સ્થાનિક સોશિયલ મિડીયા પ્લેટફોર્મ જેવા કે વી ચેટ અને વીઇબોના ઉપયોગમા 58 ટકાનો વધારો થયો છે.

એક સર્વેક્ષણ મુજબ રાષ્ટ્રવ્યાપી સંકટ સમયે રાષ્ટ્રીય ન્યુઝ ચેનલો અને અખબાર સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે. જેને 52 ટકા લોકોએ સ્વીકાર્યો છે.

તો સરકારી એજન્સીઓની વેબસાઇટને માત્ર 48 ટકા લોકો વિશ્વાસપાત્ર માને છે. તે સુચવે છે કે સરકાર તરફથી લેવામાં આવતા વિશ્વભરના મોટાભાગના નાગરિકોને સુરક્ષાની ખાતરી આપતા નથી.

જ્યારે તાજેતરમાં ચૂંટણી દરમિયાન એવુ જોવા મળ્યુ છે કે લોકોનો વિશ્વાસ ઓછો થયો છે. ત્યારે મળતી માહિતી ને 11 ટકા લોકો જ સોશિયલ મિડિયામાં વિશ્વાસ પાત્ર ગણે છે.

જેમ જેમ કોવિડ-19 રોગચાળો સતત વધી રહ્યો છે તેની સાથે ઘરમાં ન્યુઝ ચેનલો અને સોશિયલ મિડીયાનો વપરાશ વધ્યો છે. કંતારના સર્વેક્ષણ મુજબ વેબ બ્રાઉઝીંગના હવેના તબક્કામાં 70 ટકા વધી શકે છે. તો ટેલીવિઝન જોવાના વપરાશમાં 63

ટકાનો વપરાશ વધ્યો છે અઅને સોશિયલ મિડીયામાં વ્યસ્ત રહેવામાં 61 ટકા સુધીનો વધારો થશે.

તો સર્વેક્ષણમાં એવી પણ બાબત બહાર આવી છે કે બધા મેસેજીંગ પ્લેટફોર્મ પર 18 થી 34 વર્ષની વયજુથના લોકો સૌથી વધારે છે. વોટસએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં 35 વર્ષથી ઓછી વયના લોકોમાં 40 ટકાનો વઘારો થયો છે.

નોકરીયાત વર્ગની એક અપેક્ષાના સર્વેક્ષણમાં એ પણ બહાર આવ્યુ છે કે 78 ટકા કર્મચારીઓ ઇચ્છે છે કે કંપની તેમની તંદુરસ્તીનું ધ્યાન રાખે, તો 62 ટકા લોકો માને છે કે તેમને ફ્લેક્સીબલ સમય મુજબ કામ આપવામાં આવે.

અભ્યાસ એ પણ વિગતો આપે છે કે 41 ટકા ગ્રાહકોની માને છે કે હોસ્પિટલને સહયોગ આપવો અને 35 ટકા લોકો સરકારને મદદરૂપ થવાની અપેક્ષા છે.

ABOUT THE AUTHOR

...view details