ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EXCLUSIVE: ભારત બાયોટેક વિશ્વની સૌથી સસ્તી કૉવિડ-૧૯ રસીના ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે

ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં ભારત બાયૉટૅકના અધ્યક્ષ અને પ્રબંધન નિર્દેશક ડૉ. ક્રિષ્ના એલા વિશ્વમાં સૌથી સસ્તી કૉવિડ-૧૯ રસીનું ઉત્પાદન કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતા, રસીના સંશોધન અને વિકાસ તેમજ સંકળાયેલી અજમાયશોના પડકારો અંગે વાત કરે છે.

By

Published : Jul 2, 2020, 6:38 PM IST

A
EXCLUSIVE: ભારત બાયોટેક વિશ્વની સૌથી સસ્તી કૉવિડ-૧૯ રસીના ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે

હૈદરાબાદ: અગ્રણી રસી નિર્માતા ભારત બાયૉટેકે જાહેર કર્યું હતું કે તેણે કૉવિડ-૧૯ માટે ભારતની પ્રથમ રસી ઉમેદવાર કૉવેક્સિન સફળતાપૂર્વક વિકસાવી છે. ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં ભારત બાયૉટૅકના અધ્યક્ષ અને પ્રબંધન નિર્દેશક રસીના વિકાસ, તેમાં સંકળાયેલી અજમાયશોના પડાકોર અને વિશ્વમાં સૌથી સસ્તી કૉવિડ-૧૯ રસીના ઉત્પાદન માટે કંપનીની પ્રતિબદ્ધતા વિશે વાત કરે છે.

પ્ર: રસી માટે હરીફાઈ છે. શું તમારી કંપની સફળ રસી જાહેર કરનાર પ્રથમ કંપની હશે?

જ: સામાન્ય રીતે દરેક રસીના વિકાસ માટે ૧૪-૧૫ વર્ષ થાય છે. તો તમે જો ૧૪-૧૫ વર્ષનું કામ એક વર્ષમાં જ કરવા માગતા હો તો, તે દરેક મેન્યુફૅક્ચરર માટે, દરેક નિયમનકારી માટે- અમારા બધા માટે પડકારજનક કામ છે.

અને તે મેન્યુફૅક્ચરરના સ્તરે અને નિયમનકારના સ્તરે થઈ રહ્યું છે.

EXCLUSIVE: ભારત બાયોટેક વિશ્વની સૌથી સસ્તી કૉવિડ-૧૯ રસીના ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે

પ્ર: તો તમે તેને ટૂંકા સમયગાળા પૂરતું લાવવા સક્ષમ છે. હવે તે પોતે જ એક સિદ્ધિ છે. પરંતુ શું તે વૈશ્વિક સહકારના કારણે છે? ઘણું બધું વિજ્ઞાન સાહિત્ય પણ પ્રાપ્ય છે અને આથી સંશોધકોએ તેને ખુલ્લામાં મૂક્યું છે.શું આ વૈજ્ઞાનિક સાહિત્યએ તમને મદદ કરી છે?

જ: કૉવિડ-૧૯ વિશે ૨-૩ મહિના પહેલાં ખાસ સાહિત્ય પ્રાપ્ય નહોતું. ઘણી માહિતી આવી રહી છે અને મને આનંદ છે કે ચીન અને અમેરિકા તેને જાહેર ક્ષેત્રમાં મૂકે છે. આ સારી બાબત છે.

પરંતુ મેન્યુફૅક્ચરના દૃષ્ટિકોણથી, કંઈ પ્રકાશિત નથી થયું. જે પ્રકાશિત થયું છે તે પ્રાણી ડેટા છે અને ક્લિનિકલ ડેટા છે. મેન્યુફૅક્ચરિંગ હંમેશાં વેપાર રહસ્ય છે. આથી કોઈ તેને જાહેર ક્ષેત્રમાં નહીં મૂકે.

કોઈ મેન્યુફૅક્ચરિંગ પ્રક્રિયા સામાન્ય રીતે દર્દી માટે ફાઇલ કરાય છે. તેઓ તેને કંપનીની અંદર ટૅક્નિકલ જાણકારી તરીકે, પ્રૉપરાઇટી તરીકે રાખે છે.

પ્ર: શું તમે અમને કહી શકશો કે કઈ રીતે અજમાયશની પ્રક્રિયા શરૂ થાય છે અને રસી બજારમાં આવે તે પહેલાં કેટલા તબક્કા તેમાં સંકળાયેલા હોય છે?

જ: પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી (એનઆઈવી) વાઇરસને એકલો પાડ્યો. તેમણે વાઇરસની ખાસિયત જણાવી અને તે વાઇરસ અમને અપાય છે. પછી અમે આર એન્ડ ડી બૅચ અને પછી જીએમપી બૅચનું મેન્યુફૅક્ચર કરીએ છીએ.

જે માનવ તરફ જાય છે તેનું મેન્યુફૅક્ચર ગુડ મેન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ (જીએમપી) બૅચમાં થવું જોઈએ. અને અમારે ત્રણ ઉપરાઉપરી ક્રમની બૅચ બનાવવાની હોય છે, આથી બૅચમાં ફેરફાર નથી હોતા.

ત્રણ બૅચ મેન્યુફૅક્ચરિંગ કર્યા પછી અમે વિધિસર રચના કરીએ છીએ, વિલેમાં ભરીએ છીએ અને એક વિલે સ્થિરતા માટે જાય છે અને બીજું એનિમલ ટૉક્સિકૉલૉજી પાસે જાય છે. પછી આપણે ત્રણ એનિમલ ટૉક્સિકૉલૉજી કરીએ છીએ- ઉંદર (માઇસ), સસલું અને ઉંદર (રેટ). અમે પ્રાણીઓને એક-બે ડૉઝ આપીએ છીએ, તે પછી ઇમ્યૂનૉલૉજી, ટૉક્સિકૉલૉજી અને સૅફ્ટીને અનુસરીએ છીએ.

તે પૂરું કર્યા પછી અમે તબક્કા-૧, ૨ ક્લિનિકલ રચના મેળવીએ છીએ. તબક્કા-૧માં અજમાયશ ૨૮ દિવસ માટે હોય છે અને કૉવિડ-૧૯ મુક્ત વ્યક્તિની ભરતી કરી સિરૉલૉજી વિશ્લેષણ કરવામાં આવે છે.

rt-pcr કસોટી પછી એક વાર સ્વયંસેવકોની ભરતી થાય, પછી ડૉઝ આપવામાં આવે છે અને ૨૮મા દિવસે નમૂના લેવામાં આવે છે. પછી અમે સિરૉલૉજી કરીએ છીએ. શરીરમાં ઍન્ટિબૉડી નિર્માણ થાય છે. તે વાઇરસનું ગુણન નહીં થવા દે. તેને તટસ્થીકરણ (ન્યૂટ્રલાઇઝેશન) કહેવામાં આવે છે.

અમે બીએસએલ-૩ લેબમાં રક્ત નમૂનાઓ અને વાઇરસ લઈએ છીએ અને તે વાઇરસ ગુણન ન થવું જોઈએ. તે પછી અમે તબક્કા-૨,૩માં જઈએ છીએ. તે લાંબી પ્રક્રિયા છે.

પ્ર: આપણે રસીની કેટલા નજીક છીએ?

જ: ચોક્કસ, રસી મળી જ જવાની છે. અમે ત્રણ મંચ પરથી કામ કરી રહ્યા છીએ અને અમને ખાતરી છે કે બે પ્લેટફૉર્મ પર તો તે ચોક્કસ કામ કરશે જ. સેંકડો આર એન્ડ ડી કંપનીઓ છે પરંતુ માત્ર થોડી જ મેન્યુફૅક્ચરિંગ કંપનીઓ રસી મેન્યુફૅક્ચરિંગના અનુભવવાળી છે.

પ્ર: ભારતમાં નીતિ આયોગે કહ્યું છે કે એવા છ ઉમેદવારો છે જેમણે યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય મેન્યુફૅક્ચરર કઈ રીતે જુએ છે? ભારતમાં પ્રયોગશાળાઓ અને મેન્યુફૅક્ચરર વચ્ચે કેવો ગુણોત્તર છે?

જ: ભારતમાં, મોટા ભાગના મેન્યુફૅક્ચરર રસીના ક્ષેત્રમાં છે અને આર એન્ડ ડી કંપનીઓ બહુ થોડી છે. તેમની પાસે ગુણવત્તા નિયંત્રણ અને રસી સંશોધનમાં નિપુણતા નથી.

તે લાંબી પ્રક્રિયા છે. અમેરિકામાં આર એન્ડ ડી કંપનીઓ ઘણી છે. ભારતમાં મેન્યુફૅક્ચરિંગ કંપનીઓ આર એન્ડ ડી કંપનીઓ પણ છે. ભારત બાયૉટૅક પણ એક આર એન્ડ ડી કંપની છે જેમાં ૧૦૦થી વધુ વૈજ્ઞાનિકો વર્તમાનમાં કામ કરી રહ્યા છે.

પ્ર: બીએસએલ-૩: શું તે માર્ગદર્શિકાઓનો સમૂહ છે? શું તમે તે સમજાવી શકશો કે તે શું છે?

જ: બીએસએલનો અર્થ થાય છે જૈવ સુરક્ષા સ્તર (બાયો સેફ્ટી લેવલ). સૌથી નીચી શ્રેણી બીએસએલ-૧ છે અને બીએસએલ-૩ સૌથી ઊંચી છે. આ જ રીતે અમારે ત્યાં બીએસએલ લેબ પણ છે. ભારત બાયૉટૅક કદાચ બીએસએલ-૩ ઉત્પાદન સુવિધા સાથેની એક માત્ર કંપની છે. ચીને તાજેતરમાં બીએસએલ-૩ એક સુવિધાનું નિર્માણ કરવા ૨૦ કરોડ ડૉલરને મંજૂરી આપી છે. અમેરિકા પણ આવી એક સુવિધાનું નિર્માણ કરવા જઈ રહ્યું છે.

જો અમારી પાસે બીએસએલ-૩ સુવિધા ન હોત તો અમને ભારતમાં લાઇવ નિષ્ક્રિય રસીનું મેન્યુફૅક્ચર કરવા છૂટ ન મળી હોત. આ સુવિધઆ વગર, અમે જીવત વાઇરસ રસીનું મેન્યુફૅક્ચર ન કરી શકીએ. અમે સાચા માર્ગે છીએ.

પ્ર: ઘણા મેન્યુફૅક્ચરર નિષ્ક્રિય વાઇરસનું મેન્યુફૅક્ચર કરવા વીરો સેલ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે. શું ભારત બાયૉટૅક પણ આ જ મંચનો ઉપયોગ કરે છે કે પછી તેણે કંઈ અનોખો મંચ વિકસાવ્યો છે?

જ: અમે એ જ મંચનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો અમે અલગ મંચનો ઉપયોગ કરીએ તો તેમાં અનેક નિયમનકારી અડચણો છે. મારી પાસે બે ઉત્પાદનો હશે: સેલ કલ્ચર અને વાઇરસ. તો તમારે બે ઉત્પાદનોની વિશેષતા જણાવવી પડે અને તે જટિલ બની જાય છે. વીરો સેલ ટૅક્નૉલૉજી નિયમનકારી દૃષ્ટિકોણથી સાબિત થયેલો મંચ છે.

આ ઉપરાંત આ મંચમાં સાત-આઠ રસી સાથે વીરો સેલમાં અમારી પાસે સૌથી ઝાઝી રસી નિપુણતા છે.

પ્ર: જો તમે રસી મેળવવા સક્ષમ બની જશો તો તેની વૈશ્વિક માગ ઊભી થશે. તમે ઉત્પાદનને કઈ રીતે વધારશો?

જ: અમે પ્રારંભિક તબક્કાઓમાં છીએ- વાઇરસને કઈ રીતે વિકસાવવો, જીએમપી બૅચ કઈ રીતે બનાવવી, ટૉક્સિકૉલૉજી કઈ રીતે કરવું અને કઈ રીતે ક્લિનિકલ ટ્રાયલ કરવાં. સમાંતરે, અમે કઈ રીતે ઉત્પાદન વધારી શકાય તે જોવા પ્રયાસ કરી રહ્યા છીએ.

અમે રોટાવાઇરસ, રેબિઝ રસીના વિશ્વમાં સૌથી મોટા મેન્યુફૅકચરર છીએ. તે સ્પષ્ટ રીતે બતાવે છે કે અમારી પાસે સમર્થતા છે, અમારી પાસે સ્કેલેબિલિટી (માપનીયતા) છે. પરંતુ આ વાઇરસના સંદર્ભમાં, તેની પુષ્ટિ કરવા સમય લાગશે.

પ્ર: તમને સરકાર અને કૉવિડ-૧૯ રોગચાળો ફાટી નીકળવાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી તમને ખરેખર કયા પ્રકારની મદદ મળે છે?

જ: સરકાર સક્રિય છે, તેમાં કોઈ પ્રશ્ન નથી. આ નિષ્ક્રિય રસી જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ છે. મેન્યુફૅક્ચરર તરીકે, અમારી મર્યાદાઓ છે. આર એન્ડ ડી સરળ છે પરંતુ મારે ઉત્પાદન આપવાનું છે; આથી સુરક્ષા અને અસરકારકતા અગત્યનાં છે.

પ્ર: કૉવિડ-૧૯ના અનેક પ્રકાર છે જે જણાવવામાં આવે છે. શું આપણને અલગ-અલગ પ્રકાર માટે અલગ-અલગ રસીની જરૂર પડશે કે તમામ પ્રકાર માટે એક જ રસીની જરૂર પડશે?

જ: તમામ આરએનએ (રિબોન્યુક્લિક એસિડ) વાઇરસ પરિવર્તન દ્વારા ખૂબ જ ઝડપથી બદલાય છે. મૂળભૂત રીતે, એક વાઇરસ એ નિર્જીવ વસ્તુ છે, આથી તે પોતાની રીતે તેનું ગુણન ન કરી શકે. આથી તેણે માનવ શરીરમાં દાખલ થવું પડે છે અને પોતાના ગુણન માટે શરીરના તંત્રનો ઉપયોગ કરવો પડે છે.

જ્યારે તમારી પાસે માનવ શરીરનો ઉપયોગ કરતી નિર્જીવ વસ્તુ હોય તો તે ટકી રહેવા માટે અલગ-અલગ યજમાન શરીરો સાથે અલગ-અલગ રીતે અનુકૂલન સાધવા પ્રયાસ કરે છે. કૉવિડ-૧૯ જનીન જે ફેફસાના રિસેપ્ટર સાથે ચોંટે છે તે અગત્યનું છે. પરિવર્તનો અન્ય સ્પાઇકમાં થઈ શકે છે પરંતુ આમાં નહીં.

આથી, જો આ ભાગમાં પરિવર્તન થાય છે તો આપણને અલગ રસીની જરૂર પડે. પરંતુ જેમ આજે આપણે જોઈએ છીએ, આ વિસ્તાર બહુ બદલવાની શક્યતા નથી.

પ્ર: જ્યારે રસીની પેટન્ટિંગની વાત આવે છે ત્યારે ભારત બાયૉટૅક આ પાસા તરફ કઈ રીતે જુએ છે?

જ: મેન્યુફૅક્ચરર તરીકે, આપણે એક મુખ્ય કારણ માટે પેટન્ટ કરાવવાની જરૂર છે. મારે રક્ષણાત્મક રહેવા માટે અને અન્ય મેન્યુફૅક્ચરરને મેં તમારી પહેલાં કર્યું છે તે બતાવવા પેટન્ટ ફાઇલ કરવી પડે . તે વ્યૂહાત્મક બાબત છે. હું નથી ઈચ્છતો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ આવે અને મને કહે કે મેં પેટન્ટનું ઉલ્લંઘન કર્યું છે. આથી જ અમારી પાસે ૧૬૦ વૈશ્વિક પૅટન્ટ છે.

પ્ર: જ્યારે આપણે ભાવ તરફ જોઈએ છીએ ત્યારે, જો રસી લોકોના મોટા સ્તર સુધી એક વાર પહોંચી જાય તો શું તે સામાન્ય માણસને ખરીદવી પોસાશે?

જ: રૉટાવાઇરસ રસી અમેરિકામાં ૬૫ ડૉલરમાં અને યુરોપમાં ૮૦ ડૉલરમાં વેચાય છે. અમે વડા પ્રધાનને કહ્યું છે કે અમે તે પ્રતિ માત્રા (ડૉઝ) એક ડૉલરમાં વેચીશું. અમે વિશ્વભરમાં સૌથી નીચા ભાવે વેચીશું. જ્યારે કૉવિડ-૧૯ રસીની વાત આવશે ત્યારે અમે ચીન કરતાં ૧૦ ગણા સસ્તા ભાવે વેચીશું.

મેં કહ્યું તેમ અમે સરકાર પાસેથી કોઈ નાણાં લીધાં નથી. અમે નાણાં કેમ ન લીધાં તેનું એક માત્ર કારણ એ છે કે જ્યારે દેશ આપત્તિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે હું પ્રણાલિનું શોષણ કરવા માગતો નથી.

અગત્યનું એ છે કે લોકોની જિંદગી બચે અને ટૅક્નૉલૉજીનો તે માટે ઉપયોગ થઈ શકે. આ જ અમારી પ્રતિબદ્ધતાનું પરિચાયક છે.

પ્ર: તમારા માટે તમારા કર્મચારીઓને મનાવવા કેટલા અઘા હતા કારણકે આ અસાધારણ સમય છે?

જ: છેલ્લા બે મહિના આપણા માટે ખૂબ જ ચિંતાનો સમય હતો. કઈ રીતે ચીનને અને બાકીનાને પકડવા. ખૂબ જ દબાણ હતું કારણકે અમારે ચાર મહિના મોડું થયું.

અને બીએસએલ-૩ ચેપ એ સ્થાન છે જ્યાં મારા કર્મચારીઓએ કામ કરવાનું હોય છે. હું મારા કર્મચારીઓનો આભારી છું. તેમણે છેલ્લા બે મહિનાથી તેમના પરિવારોને જોયા નથી. તેઓ વાઇરસ વિસ્તારમાં કામ કરી રહ્યા છે, આથી તેઓ તેમના પરિવારોને મળી શકે નહીં.

એક વાર, તબક્કો-૧ શરૂ થાય પછી અમે તેમને રસી આપી દઈશું, જેથી તેમની રક્ષા થાય.

પ્ર: આ વિશ્વમાંથી આ ચોક્કસ વાઇરસને વિદાય લેતો આપણે ખરેખર ક્યારે જોઈ શકશું? આટલી બધી મોટી સંખ્યામાં લોકોને રસી આપવા માટે શું સમય લાગશે? આપણને કયા પ્રકારની હેરફેરની સમસ્યાઓનો સામનો કરવાનો આવી શકે છે?

જ: આવતા વર્ષ સુધીમાં ૧.૩ અબજ લોકોને રસી આપવી સંભવ છે. જો સરકાર પ્રક્રિયામાં સુવિધાઓ પૂરી પાડશે તો તેમ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details