તેલંગાણાના સ્થાપના દિવસે PM મોદી અને વેંકૈયા નાયડૂએ શુભકામના પાઠવી - Andhra Pradesh
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ તેલંગણાના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભકામના પાઠવી છે.
![તેલંગાણાના સ્થાપના દિવસે PM મોદી અને વેંકૈયા નાયડૂએ શુભકામના પાઠવી etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7442585-thumbnail-3x2-eqw.jpg)
etv bharat
નવી દિલ્હી: 2 જૂન તેલંગણાનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગણા રાજ્ય અલગ થઈ ભારતનું 29મું રાજ્ય બન્યું હતું. ત્યારથી દર વર્ષ 2 જૂનના રોજ તેલંગણા સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ રાજ્યના લોકોને શુભકામના પાઠવી છે.