નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાંથી સ્ટાયરિન ગેસ લીક થવા મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ સુનાવણી ટાળી દીધી છે. આ કેસની હવે પછીની સુનાવણી 1 જૂને થશે.
વિશાખાપટ્ટનમ ગેસ લીક કેસઃ રિપોર્ટ હજુ મળ્યો નથી, NGTએ સુનાવણી સ્થગિત કરી - સ્ટાયરિન ગેસ લીક
વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાંથી સ્ટાયરિન ગેસ લીક થવા મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ સુનાવણી ટાળી દીધી છે. આ કેસની હવે પછીની સુનાવણી 1 જૂને થશે.

એનજીટી (NGT) દ્વારા રચાયેલી 5 સભ્યોની સમિતિએ એનજીટીને પોતાનો અહેવાલ આપ્યો ન હતો, ત્યારબાદ એનજીટીએ સુનાવણી મોકૂફ કરી દીધી હતી. 8 મે ના રોજ એનજીટીએ આંધ્રપ્રદેશ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વિશાખાપટ્ટનમના જિલ્લા મેજિસ્ટ્રેટ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય અને એલજી પોલિમર્સને આ બાબતની ધ્યાન લીધા બાદ નોટિસ ફટકારી હતી.
લોકોના આરોગ્ય અને પર્યાવરણને થતા નુકસાનની ભરપાઇ માટે એનજીટીએ એલજી પોલિમરને 50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એનજીટીએ 5 સભ્યોની સમિતિની રચના કરી છે.