ગુજરાત

gujarat

By

Published : Jun 3, 2020, 8:23 AM IST

ETV Bharat / bharat

વૈષ્ણો દેવી યાત્રા માટે ઘોડા શ્રદ્ધાળુઓનું મુખ્ય સાધન, ઘોડાઓનો કરાશે કોરોના ટેસ્ટ

કોરોના મહામારી વચ્ચે છેલ્લા 2 મહિનાથી તમામ ધાર્મિક સ્થળો બંધ છે. ત્યારે ભક્તો 8 મેથી ધાર્મિક સ્થળો ખુલવાની રાહ જોઈ બેઠા છે. વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ યાત્રા સમિતિએ યાત્રા પહેલા ઘોડા અને ઘાડેસવારના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરી છે.

etv bharat
etv bharat

કટરા: કેન્દ્ર સરકારે આગામી 8 જૂનથી ધાર્મિક સ્થળો ખુલવાના સંકેત આપ્યા છે. જેને લઈ દેશવ્યાપી લૉકડાઉન ખુલવાની સાથે આશા કરવામાં આવી રહી છે કે, જમ્મુ કાશ્મીરમાં આવેલું વૈષ્ણો દેવી મંદિર પણ 8 જૂન બાદ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, મંદિર સુધી પહોચવા માટે શ્રદ્ધાળુઓ પાસે ઘોડી મુખ્ય સાધન છે. જેને ધ્યાને લઈ આયોજન સમિતિએ ઘોડાના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરી છે. આ સાથે સમિતિએ ઘોડા ચાલકોનો પણ કોરોના ટેસ્ટ કરવાનો શરુ કર્યો છે.

સમિતિએ જણાવ્યું કે, વૈષ્ણો દેવી પરિવહન સેવા હેઠળ 4,500 ઘોડા નોંધાયેલા છે. જો સરકાર યાત્રાની મંજૂરી આપે તો તેમાંથી માત્ર 450 ઘોડાને જ મંજૂરી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details