વોશિંગ્ટનઃ “ધ ફાઇટ ઇઝ ઇન યુએસ“ શીર્ષક ધરાવતા આ અભિયાનનો આશય કોવિડ-19ના રોગચાળામાંથી સાજા થયેલા હજારો લોકોને અકત્ર કરીને તેઓ પોતાના પ્લાઝમાનું દાન કરે તે માટે તેઓને પ્રેરિત કરવાનો છે એમ સત્તાવાર રીતે બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું કે આ અભિયાન હાલ બે તાકીદની સમયસીમા રેખાની સાથે સાથે કામ કરી રહ્યું છે. પહેલી સમયસીમા રેખા એ છે કે કોવિડ-19માંથી બચી ગયેલા લોકો આગામી બે મહિનામાં જ તેઓનું પ્લાઝમા દાન કરે, કેમ કે તેમ કરવાથી વાઇરસની સામે ટક્કર આપવા તેઓના રક્તમાં રહેલાં પ્રતિરોધક કણોનું દ્રવ્ય પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે બાબત સુનિશ્ચિત થઇ શકે. સમયની સીમારેખા બાંધવા પાછળનું બીજું મહત્વનું પરિબળ એ છે કે નિષ્ણાતોનું એમ માનવું છે કે આગામી પાનખર ઋતુ દરમ્યાન ઉત્તર ગોળાર્ધમાં કોવિડ-19ના કેસોમાં ઋતુગતરીતે ધરખમ વધારો થઇ શકે છે.
કોવિડ-19ની માહામારીમાંથી બચી ગયેલા લોકોના શરીરનું જે બ્લડ પ્લાઝમા હોય છે તે પ્રતિરોધક રક્તકણોથી અત્યંત સમૃધ્ધ થયેલું હોય છે જે આ મહામારીને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. હવે કોવિડ-19ને આગળ વધતો અટકાવવાના ભગીરથ કાર્યમાં ધરખમ મદદ કરવાનો અને પોતાના બ્લડ પ્લાઝમાનું દાન કરવાનો સુપરહિરો એવા વોલન્ટિયરો માટે સમય આવી ગયો છે એમ નિવેદનમાં સર્વાઇવર કોર્પ કંપનીના સ્થાપક ડાયના બેરન્ટે કહેતા ટાંકવામાં આવ્યા હતા.