ગુજરાત

gujarat

By

Published : Mar 29, 2020, 8:07 PM IST

ETV Bharat / bharat

ભારતમાં લોકડાઉનના કારણે શહેરમાં કામ કરતા વ્યવસાયિકનો ખુબ જ મોટો ફટકો

શહેરી વિસ્તારમાં રહેકા અને વ્યવસાય કરતા દશ પૈકી આઠ વ્યવસાયિકોએ દાવો કર્યો છે કે નોવેલ કોરોના વાયરસને કારણે તેમના વેપાર ધંધા પર ખુબ જ મોટી અસર થઇ છે. તો વેચાણમાં ઘટાડાને કારણે આ સંકટ વધુ ઘેરાશે. એક નાના છંતાય, મહત્વના ઇન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ કંપની યુગોવના નિષ્ણાંતો દ્વારા કરાયેલા અભ્યાસમાં 1944 થી 1964 વર્ષની વચ્ચે ગાળામાં જન્મેલા 251 વરિષ્ઠ વ્યવસાયિકોને કોવિડ-19 રોગની અસર થવાની સંભાવના વધારે રહે છે.

ભારતમાં લોકડાઉનના કારણે શહેરમાં કામ કરતા વ્યવસાયિકનો ખુબ જ મોટો ફટકો
ભારતમાં લોકડાઉનના કારણે શહેરમાં કામ કરતા વ્યવસાયિકનો ખુબ જ મોટો ફટકો

ઇન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્સ અને ડેટો અભ્યાસ કરતી કંપનીએ જણાવ્યું છે કે 8 ટકા લોકો કહે છે. હાલની સ્થિતિની અસર નજીવી રહેશે. તો સાત ટકા લોકોએ દાવો કર્યો હતો કે કોઇ અસર નહી થાય. તો કોરોના વાયરસને કારણે સોથી વધારે પ્રભાવ રદ કરાયેલી ધંધાકિય મુલાકાતો થશે.

ઘણા વેપારીઓ 58 ટકા જેટલા વેપારીઓ માને છે કે 21 દિવસના લોકડાઉન સમય મર્યાદા દરમિયાન ભારતમાં વેચાણાં મોટો ઘટાડો આવશે તો વેપાર ધંધા બંધ કરવાની નોબત આવી શકે તેમ છે. તો માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા લોકોને કોઇ ખાસ અસર નહી થાય. તો અડધાથી વધારે લોકોએ દાવો કર્યો છે જેમાં 55 ટકા લોકો સ્વચછતાના માપદંડો અને પુરાવા છે. તો લોકોએ એવો પણ દાવો કર્યો છે કે 55 ટકા કંપનઓઓમાં સ્વચ્છતાના માપદંડ નાગરકોની સુરક્ષાની ચિંતા છે.)."

તો ઘણા કર્માચારીઓએ જણાવ્યુ હતુ કે એચઆર સંબધિત મુદ્દાઓને લઇને સામાનો કરી રહ્યા છીએ. ઘરેથી કામ કરતા કર્મચારીની સંખ્યામાં 46 ટકાનો વઘારો થયો છે. તો 39 ટકા લોકો નોકરી દરમિયાન નોકરી બિમાર પડી રહ્યા છે. તો તારણો એ પણ બતાવે છે કે સપ્લાઇ ચેનમાં 45 ટકા,, ઓફિસ બંધ થવાથી 42 ટકા લોકોએ સહન ક્યુ છે. તો કામમાં 47 ટકામો ઘટાડો થયો છે.

તો સાથેસાથે હકારાત્મક નોંધએ પણ છે કે નવ ટકા લોકોએ નોંધ કરી છે રે રોગચાળો થયો પણ તેમના વેપારીમાં વેચાણમાં વધારો થયો છે.

તો એકત્ર કરાયેલા ડેટા મુજબ પાંચ માંથી ચાર લોકો ( એટલે કે 82 ટકા) માને છે કે તેમના વેપાર ધંધાને ભવિષ્યમાં મોટી અસર થવાની સંભાવના છે. તો 61 ટકા લોકો માને છે માને છે કે પહેલાથી જ ઘટાડો હતો જ ત્યારે હાલની તુલનામાં વેચાણમાં ઘટાડો નોંધાશે. તો 10 ટકા લોકો એવા છે કે જે આ સ્થિતિને તક તરીકે જુએ છે અને તેમને લાગે છે કે ભવિષ્યમાં વેચાણમાં વધારો થશે. પણ મોટાભાગના એટલે કે 93 ટકા લોકોને લાગી રહ્યુ છે કે કોરોના વાયરસને કારણે દેશના અર્થતંત્ર પર મધ્યમથી લઇને મોટા પાયે અસર થશે . તો સાત ટકા કહે છે કે સામાન્ય અસર થશે. તેવી વિગતો સર્વેમાં બહાર આવી છે.

ABOUT THE AUTHOR

...view details