લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિવારણ વટહુકમ-2020 પસાર કરવામાં આવ્યો હતું. આ વટહુકમ મુજબ હવે ગૌ વંશને નુકસાન પહોંચાડવાના કેસમાં 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
UP: ગૌહત્યા વટહુકમને યોગી કેબિનેટની મંજૂરી, ગૌહત્યા માટે દસ વર્ષની સજા - ગૌહત્યા કતલ વટહુકમને યોગી કેબિનેટની મંજૂરી
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિવારણ વટહુકમ-2020 પસાર કરવામાં આવ્યો હતું. આ વટહુકમ મુજબ હવે ગૌ વંશને નુકસાન પહોંચાડવાના કેસમાં 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
![UP: ગૌહત્યા વટહુકમને યોગી કેબિનેટની મંજૂરી, ગૌહત્યા માટે દસ વર્ષની સજા yogi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7551398-thumbnail-3x2-ghbgfhb.jpg)
સીએમ યોગી
રાજ્ય સરકારે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ જેવા કૃષિ પ્રધાન રાજ્ય માટે ગૌવંશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં રાજ્ય સરકારે એમ પણ જણાવ્યું કે, શ્વેતક્રાંતિના સપનાને સાકાર કરવા અને કૃષિ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગૌહત્યા નિવારણ (સુધારણા) વટહુકમ-2020 લાવવામાં આવ્યો છે. જેથી રાજ્યમાંથી સારી પ્રજાતીની ગાયનું સ્થળાંતર અટકાવી શકાય.