બ્રિટિશ ઉચ્ચ અદાલતે સર ડોમિનિક એસકીથે પુલવામા હુમલા અને ત્યારબાદની ઘટનાઓને લઈ પણ વાત કરી છે. તેમણે કહ્યુ કે, આ ઘટના બાદ બ્રિટને ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા તણાવને ઓછો કરવામાં અહમ ભૂમિકા ભજવી છે.
મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર જલ્દી જ કરી શકે છે વૈશ્વિક આતંકવાદી ઘોષીત: બ્રિટેન - Gujarati news
ન્યૂઝ ડેસ્કઃ બ્રિટિશ ઉચ્ચ અદાલતે કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્ર જલ્દી જ મસૂદ અઝહરને વૈશ્વિક આતંવાદી ઘોષિત કરી શકે છે. સાથે જ આતંકી સંગઠનો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
![મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર જલ્દી જ કરી શકે છે વૈશ્વિક આતંકવાદી ઘોષીત: બ્રિટેન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3121213-thumbnail-3x2-hgh.jpg)
મસૂદ અઝહર
બ્રિટિશ હાઈ કમિશ્નર સર ડોમિનિક અક્કિથ અજહરને એક આતંકવાદી તરીકે જાહેર કરવા બાબતે પૂછ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, ચીન આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો હોવાથી અમે ચીનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, વિતેલા મહિને ચીને આતંકી અઝહર મસૂદને આતંકવાદી જાહેર કરવા પર અસહમતિ દર્શાવી હતી. આ તેમણે ચોથી વખત કર્યુ છે. વધુમા તેમણે કહ્યુ કે, બ્રિટન અઝહરને આતંકવાદીની યાદીમાં સામેલ કરવામાં સમર્થન આપી રહ્યુ છે. તેમને વિશ્વાસ છે કે, આ મામલા પર જલ્દીથી નિર્ણય આવશે.