ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેળો જ્યાં મળે છે જીવનસાથી, પાન ખવડાવીને કરાઈ છે 'પ્રપોઝ' - मेले में भागकर शादी करने की प्रथा

ઝાલાવાડ: સમયની સાથે પ્રેમ પામવો, પ્રેમ વ્યક્ત કરવો ખર્ચાળ બની ગયો છે. પરંતુ, રાજસ્થાનના ઝાલાવાડમાં જે મેળો ભરાય છે તે અનેક રીતે વિશિષ્ટ છે. આ મેળામાં મન સાથે દિલ પણ મળે છે. મેળો જ્યાં જીવનસાથી સાથે મિલન થાય છે. રાજસ્થાનના યુવાનો આ મેળા માટે આખુ વર્ષ રાહ જુએ છે. કારણ કે ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં મનપંસદ પાત્રને માત્ર પાન ખવડાવીને લગ્ન માટે પ્રપોઝ કરાઈ છે. જો બંને પ્રેમ અને પ્રપોઝ બંનેનો સ્વીકાર થઈ જાય તો મેળામાંથી જ યુગલો ભાગી જાય છે અને લગ્ન કરી લે છે.

મેળો જ્યાં મળે છે જીવનસાથી, પાન ખવડાવીને કરાઈ છે 'પ્રપોઝ'

By

Published : Oct 27, 2019, 11:18 PM IST

આ જગ્યાએ ભરાઈ છે મેળો અને યુવા હૈયાઓ એકબીજાને કરે છે ઈમપ્રેસ..

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના જગદેવ ગામમાં સદીઓથી એક અલગ પ્રકારનો મેળો ભરાઈ છે. ઝાલાવાડ મુખ્યાલયથી લગભગ 90 કિલોમીટર દુર નેવજ નદી કિનારે પ્રાચીન દેવનારાયણ ભગવાનનું મંદિર છે. જ્યાં દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ માટે આ મેળાનું આયોજન થાય છે. આ મેળામાં યુવા હૈયાઓ માત્ર પોતાના જીવનસાથીની શોધ માટે આવે છે. મેળામાં યુવક-યુવતીઓ સુંદર રીતે તૈયાર થઈને આવે છે. એક બીજાનું દિલ જીતવા માટે યુવકો હાથમાં વાંસળી લઈને ડાન્સ કરે છે. યુવતીઓ ઘુંઘટની આડમાં ચહેરો છુપાવી પ્રિયતમને રિઝવવાની કોશિશ કરે છે.

મેળો જ્યાં મળે છે જીવનસાથી, પાન ખવડાવીને કરાઈ છે 'પ્રપોઝ'

ભાગીને લગ્ન કરવાની પ્રથા..

આ મેળામાં આવનાર લોકો મોજ-મસ્તી અને મજાક કરવાનો કોઈ મોકો છોડતા નથી. સ્થાનિક લોકો કહે છે કે જાગદેવ ગામના મેળા અંગે એવી માન્યતા છે કે, મેળાની વચ્ચે યુવક-યુવતીઓ એકબીજાને પાન ખવડાવીને જ પ્રેમ વ્યક્ત કરે છે. મોકો શોધીને તેએ ભાગી જાય છે અને જીવનભર માટે લગ્નનાં તાંતણે બંઘાઈ જાય છે. ભાગીને લગ્ન કરવાની પ્રથાના કારણે આ પર્વ જાગદેવ ગામ કહેવાય છે.

ABOUT THE AUTHOR

...view details