નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અને લોક જનતા પાર્ટી (LJP)ના પૂર્વ અધ્યક્ષ રામ વિલાસ પાસવાને દિલ્હી હિંસાને રાષ્ટ્રીય કલંક ગણાવી છે. તેમણે કહ્યું કે એકવાર કલંક લાગે છે, તેને દૂર થતાં લાંબો સમય લાગે છે. જે લોકોએ તોફાનોને ઉશ્કેર્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ, મને આશા છે કે, આ અંગે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દિલ્હીમાં શાંતિ સ્થાપિત કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. ટૂંક સમયમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતે તોફાનોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા હતા અને લોકો સાથે ચર્ચા કરી હતી. PM મોદીના દૂત તરીકે તે લોકોની વચ્ચે ગયા હતા, જે પણ લોકો ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હિંસા પર કોઈ પણ પ્રકારનું રાજકારણ થવું જોઇએ નહીં.