ન્યૂઝ ડેસ્કઃ ક્લિનિકલ ડિપ્રેશનને અન્ય કોઈપણ શારીરિક બિમારીની જેમ સરળતાથી સમજી શકાય તેમ નથી. જ્યાં સુધી આ બિમારીની ખબર ના પડે ત્યાં સુધી ઘણી વખત વ્યક્તિ કે જે ક્લિનિકલ ડિપ્રેશનમાં હોય છે, તેને દુઃખી માની લેવાની ભૂલ કરવામાં આવે છે. ક્લિનિકલ ડિપ્રેશન એક માનસિક બિમારી છે જે વાસ્તવિક છે. પરંતુ ભાગ્યે જ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે અને મોટે ભાગે તેને અવગણવામાં આવે છે. જે વ્યક્તિ ક્લિનિકલી ડિપ્રેશનવાળી હોય છે તે અન્યને સામાન્ય લાગે છે, પરંતુ તે વ્યક્તિ બિમાર છે અને તે સ્પષ્ટ નિરીક્ષણથી જ સમજી શકાય છે.
જે વ્યક્તિ આ બિમારીથી પીડિત હોય છે, તેને કોઈ પણ પ્રવૃત્તિમાં મન લાગતું નથી. તેઓ દિવસ દરમિયાન થાકેલા હોય છે, પરંતુ રાતે તેઓમાં ઉર્જા હોય છે. ભૂતકાળમાં તેમની સાથે જે થયું છે, તેઓ તેના વિચાર કર્યા કરે છે અને લઘુતાગ્રંથિનો અનુભવ કરે છે. ખૂબ જ બારીક નિરીક્ષણથી આ બિમારીની ખબર પડે છે. તેઓને એકલા રહેવું પસંદ છે અને આત્મહત્યા કરવાના વિચારો કરે છે.
મનોચિકિત્સક નિષ્ણાત ડૉ.રશ્મી વાધવાએ કહ્યું કે, ડિપ્રેશન ઘણાં પ્રકારના હોય છે અને તેનો ઈલાજ પણ છે
- મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર (MDD)
- પર્સિસટન્ટ ડિપ્રેસિવ ડિસોઓર્ડર
- બાયપોલાર ડિસઓર્ડર
- પોસ્ટ પાર્ટમ ડિસઓર્ડર
- પ્રી-મેન્સ્ટ્રયુઅલ ડિસઓર્ડર
- એટીપિકલ ડિસઓર્ડર