લંડન (યુકે): સગર્ભાવસ્થા દરમીયાન માતામાંથી તેના નવજાત બાળકમાં Covid-19નું પ્રસરણ થવુ અસામાન્ય છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે જ્યારે બાળક યોનિમાર્ગથી જન્મ્યુ હોય, તેને સ્તનપાન કરવવામાં આવતુ હોય અથવા તેના માતાપિતા સાથે તેનો સંપર્ક કરવાની પરવાનગી આપવામાં આવી હોય એ સંજોગોમાં પણ સંક્રમણનું જોખમ ખુબ મોટુ હોતુ નથી.
ઓબ્સ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજીની આંતરરાષ્ટ્રીય જર્નલ BJOG માં પ્રસિધ્ધ થયેલા અભ્યાસ પ્રમાણે જે શીશુઓના Covid-19 રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમાંના મોટાભાગના શીશુઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો દેખાયા ન હતા.
યુકેની નોટીંગહામ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો સહિતના સંશોધકોના મતે, માતાથી બાળકને થતા Covid-19ના સંક્રમણના જોખમને રોકવા માટે બાળકનો જન્મ સીઝેરિયનથી કરવો વધુ સલામત છે તેમજ બાળકનો જન્મ થતાની સાથે જ તેને તેની માતાથી અલગ રાખવુ જરૂરી છે તેમજ બાળક માટે ફોર્મ્યુલા ફીડની પેટર્ન અપનાવવી વધુ સુરક્ષીત છે.
જો કે સંશોધનકારોએ કહ્યુ હતુ કે આ દીશાનિર્દેશોને ટેકો આપવા માટે ખુબ ઓછા પુરાવાઓની જરૂર છે.
હાલના રીવ્યુ રીસર્ચમાં વૈજ્ઞાનિકોએ આ વિષયને લગતા 49 અભ્યાસનું વ્યવસ્થીત વિશ્લેષણ કર્યુ છે.
આ રીવ્યુમાં 666 નવજાત શીશુ અને 655 માતાઓના (કેટલીક માતાઓએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો) વિશ્લેષણને સામેલ કરવામાં આવ્યુ છે.
આ સંશોધકોના મતે, જે માતાઓએ બાળકોને યોનીમાર્ગથી જન્મ આપ્યો હતો તેવી આઠ માતાઓમાંથી માત્ર 292 (2.7%) માતાઓના શીશુઓના Covid-19 રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.