UNમાં માનવાધિકાર પરિષદમાં કાશ્મીરના ધ્રુવીકરણને લઇ ભારતનું નિવેદન સામે આવ્યું છે. હકિકતમાં પાકિસ્તાને કાશ્મીરના ધ્રુવીકરણની નાકામ કોશીશ કરી હતી.
UNમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની રાજનીતિકરણ કરવાની કોશીશ નાકામ: ભારત - સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં કાશ્મીરના ધ્રુવીકરણ અને રાજનીતિકરણનો પાકિસ્તાન તરફથી પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને નકારમાં આવ્યો છે.
આ મામલામાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાનને સમજી જવુ જોઇએ કે ચાર-પાંચ વાર ખોટુ બોલવાથી કોઇ વાત સાચી બની જતી નથી. તેઓએ કહ્યું કે આતંકવાદીઓને સહારો આપવામાં પાકિસ્તાનની અહમ ભૂમીકાથી તે જાગૃત છે અને દૂનીયા તે વાતને જાણે છે.
વધુમાં જણાવ્યું હતુ કે, UNHRCમાં કાશ્મીરના ધ્રુવીકરણ અને રાજનીતિકરણનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.
ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દર્જો પૂર્ણ કરવાના નિર્ણયને અંગત નિર્ણય ગણાવ્યો હતો, જ્યારે પાકિસ્તાને માનવાધિકારોના વિષયની તપાસ કરવાની માગ કરી હતી,