ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UK કોર્ટે નીરવ મોદીને 30 જાન્યુઆરીએ હાજર થવા રિમાન્ડ મેળવ્યા - Money Laundering Cases

લંડન: પંજાબ નેશનલ બેંક સાથે (PNB) આશરે બે અબજ ડોલરની છેતરપિંડી આચરનારા અને મની લોન્ડરિંગના કેસમાં ભાગેડુ હીરાના ઉદ્યોગપતિ નીરવ મોદી ભારતમાં વોન્ટેડ છે. બ્રિટનમાં તેના પ્રત્યાર્પણને લઈને સુનાવણી ચાલી રહી છે. તેની અટકાયતની સમયમર્યદા ચાલુ રાખી બ્રિટનની અદાલત સમક્ષ નીરવ મોદીને 30 જાન્યુઆરી હાજર કરાશે.

Nirav Modi
નીરવ મોદી

By

Published : Jan 3, 2020, 12:30 PM IST

નીરવ મોદીને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની અદાલતમાં વૈંડ્સવર્થ કેદમાં પ્રત્યેક 28 દિવસે નિયમિત હાજર રહેવાના ભાગ રૂપે કોર્ટમાં રજૂ કરાયો હતો. નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી 11 મેથી શરૂ થવાની છે, અને આ સુનાવણી આશરે પાંચ દિવસ ચાલવાની શક્યતા છે.

ડેપ્યુટી ચીફ મેજિસ્ટ્રેટ ટૈન ઈકરામે જ્યારે નીરવ મોદીને પૂછ્યું કે, શું તેને કોઈ અન્ય મુદ્દે કંઈ કહેવાનું છે? ત્યારે જવાબમાં નીરવ મોદીએ કંઈ જ કહ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીએ ઘરમાં જ નજરકેદની બાંહેધરી આપીને જામીન મેળવવા માટે ગત નવેમ્બર મહિનામાં નવેસરથી અરજી કરી હતી.

જોકે, ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બથનોટે સાક્ષીઓને પ્રભાવિત કરવાની તેમજ મે 2020માં પ્રસ્તાવિત સુનાવણી પહેલા તેના ભાગી જવાની આશંકાને જોતાં તેની જામીન અરજી નામંજૂર કરી હતી.

નીરવ મોદીની ગત વર્ષે 19 માર્ચના રોજ અઠકાયત કરવામાં આવી હતી. ત્યારથી તે વૈંડ્સવર્થ જેલમાં છે.

ABOUT THE AUTHOR

...view details