ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ PM સાથેની મુલાકાત બાદ કહ્યું, CAAથી ડરવાની જરુર નથી - વડા પ્રધાન મોદી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ સાથે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વડા પ્રધાન મોદી સાથે મોદીને મળ્યા, સીએએ અને એનપીઆર પર થઇ ચર્ચા
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વડા પ્રધાન મોદી સાથે મોદીને મળ્યા, સીએએ અને એનપીઆર પર થઇ ચર્ચા

By

Published : Feb 21, 2020, 8:32 PM IST

Updated : Feb 22, 2020, 9:35 AM IST

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના દિકરા આદિત્ય ઠાકરેએ દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે નાગરિકતા સંશોધન કાયદો(CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટ્રાર (NPR) પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વડા પ્રધાનએ સ્પષ્ટ કર્યું કે દેશમાં એનઆરસી લાગૂ નહી કરવામાં નહી આવે અને એનપીઆર સાથે કાંઇ ખોટું નથી. ઠાકરેએ વધુમાં ઉમેર્યું કે સીએએથી ડરવાની જરૂરત નથી.

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપ વરિષ્ઠ નેતા એલ.કે આડવાણી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

મહત્વનું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાન પદને લઇને મતભેદ થતાં શિવસેનાએ ગઠબંધન તોડી નાખ્યું હતુ, અને કોંગ્રેસ અને રાકાંપા સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.

Last Updated : Feb 22, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details