ગુજરાત

gujarat

By

Published : Jun 18, 2019, 11:40 AM IST

ETV Bharat / bharat

પુલવામામાં IED બ્લાસ્ટ : 7 જવાન ઘાયલ 2 જવાન શહીદ, એન્કાઉન્ટર શરૂ

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આંતકીઓએ સેનાના વાહનોને નિશાન બન્વાયા હતા. આતંકીઓએ IED બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. જેમાંથી 2 જવાનોના મૃત્યુ થયા હતા.

ફાઇલ ફોટો

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આતંકિઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. મળતી માહીતી મુજબ 44 રાષ્ટ્રીય રાઇફલ્સ લઇને આ વાહન હુમલામાં ભોગ બન્યો હતો. પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.આતંકીઓએ વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો હતો. ત્યાર પછી આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. આ હુમલામાં વાહનને ભારે નુકસાન થયું હતું. બાદમાં જવાનોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને આતંકીઓને શોધવા અભિયાન શરૂ કર્યું હતું.

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આંતવાદીઓએ સેનાના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. એક વાહનમાં IED લગાવી વિસ્ફોટ કર્યો, જેમાં 9 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં અરિહાલ-લસ્સીપોરા માર્ગ પર આતંકવાદીઓએ ઈદગાહ અરિહાલની પાસે 44 રાષ્ટ્રીય રાયફલ્સના કેટલાક વાહનોને નિશાન બનાવ્યા. આ હુમલામાં વાહનોમાં બેઠેલા જવાનો ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 9 જાવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી 2 જવાનો શહીદ થયા છે.

ABOUT THE AUTHOR

...view details