ગુજરાત

gujarat

By

Published : Aug 27, 2019, 1:03 PM IST

ETV Bharat / bharat

પુલવામામાં આંતકવાદીઓએ કર્યુ બે લોકોનું અપહરણ, એકની હત્યા, એક લાપતા

જમ્મુ-કાશ્મીરઃ આંતકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે ગુજ્જર લોકોનું અપહરણ કરી લીધું હતુ. જેમાંથી એકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.

murdered

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે સંદિગ્ધ આતંકવાદીઓએ જંગલ વિસ્તારમાંથી ગુજ્જર સમાજના બે લોકોનું અપહરણ કર્યુ અને તેમાંથી એકની ગોળી મારી હત્યા કરી નાખી હતી.

સૌજન્ય- ANI

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ આ પ્રથમ ઘટના સામે આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સાંજના આશરે 7 વાગ્યે પુલવામાં જિલ્લાના ત્રાલમાં જંગલ વિસ્તારમાં રાજૌરી જિલ્લાના રહેવાસી અબ્દુલ કદીર કોહલી અને શ્રીનગરના ખોનમોહના રહેવાસી મંજૂર અહેમદને બંદૂકધારીઓએ ઉઠાવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details