ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધર્મ આધારિત અમાનવીય પોસ્ટ પર ટ્વિટરે લગાવ્યો પ્રતિબંધ

ન્યૂઝ ડેસ્ક: ટ્વિટરે પોતાના પ્લેટફોર્મ પર અમાનવીય ભાષાનો ઉપયોગ કરી ધૃણાસ્પદ આચરણ કરનારી પોસ્ટ વિરુદ્ધમાં પોતાના નિયમો વધારે કડક બનાવ્યા છે, જે ધર્મના આધારે અન્યને ઠેસ પહોંચાડે છે.આ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે મંગળવારના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે, નિયમ વિરુદ્ધ જનારી અનેક પોસ્ટને હટાવી દેવામાં આવી છે.

By

Published : Jul 11, 2019, 7:46 AM IST

file

કંપનીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આજથી પહેલા આ નવા નિયમોનું ઉલ્લંઘન કરનારા ટ્વિટ્સને હટાવાની આવશ્યકતા હતી પણ તેમનું ટ્વિટર અકાઉન્ટને બંધ નથી કર્યા, કારણ કે, આ નિયમ બન્યા પહેલા તેવા લોકોના ટ્વિટ આવેલા હતાં.

ગત વર્ષે જ ટ્વિટરે અલગ અલગ ધર્મ અને સમુદાયના આધારે ધૃણાસ્પદ આચરણ વાળી પોસ્ટ વિરુદ્ધમાં પ્રતિક્રિયાની માગ કરી હતી.

આ અંગે બે અઠવાડિયામાં 30 દેશમાં રહેવાવાળા લોકોના લગભગ 8000થી પણ વધારે પ્રતિક્રિયા મળી હતી.જેના જવાબમાં ટ્વિટરે કહ્યું હતું કે, ભાષા ઉપરાંત પણ લોકોનું એવું માનવુ હતું કે, વધારે જાણકારી ઉપલબ્ધ કરાવી નિયમોમાં સુધારો કરી શકાય છે.

જેને લઈ ટ્વિટરે જણાવ્યું છે કે, આ નિયમ પ્રમાણે સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરો અને નિયમોને જાળવી રાખવામાં મદદ કરો.

ABOUT THE AUTHOR

...view details