ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીતિન ગડકરીની જાહેરાત, નેશનલ હાઇવે પર નહીં લેવામાં આવે ટોલટેક્સ - નીતિન ગડકરીની જાહેરાત

કોરોના વાઇરસના વધતા જતા રોગચાળાને જોતા દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અસ્થાયી ધોરણે ટોલ લેવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી.

three
three

By

Published : Mar 26, 2020, 1:35 PM IST

નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા જતા રોગચાળાને જોતા દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે મોડી સાંજે જાહેરાત કરી હતી કે, લોકડાઉનમાં ઇમરજન્સી સેવાઓનું કામ સરળ બનાવવા માટે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અસ્થાયી ધોરણે ટોલ લેવામાં આવશે નહીં.

ગડકરીએ કહ્યું કે, દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન સંપૂર્ણ રીતે બંધ થશે. આ નિર્ણયથી ઇમરજન્સી સેવાઓમાં રોકાયેલા લોકોનો સમય બચશે, બીજી તરફ, ટોલ પ્લાઝા પર કામ કરતા કર્મચારીઓ પણ કોરોના ચેપથી સુરક્ષિત રહેશે. જો કે, ટોલ પ્લાઝા પર રસ્તાઓની જાળવણી અને કટોકટી સંસાધનોની ઉપલબ્ધતા રાબેતા મુજબ ચાલુ રહેશે.

vnbvn

લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન કરવા માટે, રાજ્યની તમામ સરકારોએ તેમની આંતર-રાજ્ય સરહદોને પણ સંપૂર્ણ સીલ કરી દીધી છે અને અલગ અલગ જગ્યાઓ પર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ટોલ નહીં લેવાના નિર્ણયથી ઇમરજન્સી સેવાઓમાં રોકાયેલા લોકોને ફાયદો થશે અને તેઓ ટૂંક સમયમાં રોકાયા વગર સરળ રીતે સેવા આપી શકશે.

ABOUT THE AUTHOR

...view details