ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલાની આજે પ્રથમ વરસી, શહીદોને અપાઈ શ્રદ્ધાંજલી - અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી

નવી દિલ્હી: 14 ફેબ્રુઆરીનો દિવસ ઈતિહાસમાં જમ્મુ-કાશ્મીરની એક દુ:ખદ ઘટના સાથે જોવામાં આવે છે. ગત વર્ષે આતંકવાદીઓએ આ દિવસે દેશના સુરક્ષાકર્મી પર હુમલો કર્યો હતો. પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને CRPFની બસ સાથે ટક્કર મારી હતી, જેમાં 39 જવાન શહીદ થયા હતા અને ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ETV BHARAT
પુલવામા હુમલાની આજે પ્રથમ વરશી, અમિત શાહે આપી શહીદોને શ્રદ્ધાંજલી

By

Published : Feb 14, 2020, 9:21 AM IST

2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPF પર થયેલા હુમલાના જવાબમાં ભારતે બાલાકોટમાં અસૈન્ય કાર્યવાહી કરી હતી. ભારતીય વાયુસેનાએ ઘણા આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યું હતું.

અમિત શાહનું ટ્વીટ

આજે પુલવામાં હુમલાનું એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. પ્રથમ વરશી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. અમિત શાહે કહ્યું કે, ભારત શહીદ જવાનો અને તેમના પરિવાર પ્રત્યે કાયમી આભારી રહેશે, જે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ અખંડ રાખવા માટે સર્વોચ્ય બલિદાન આપે છે.

CRPFનું ટ્વીટ

સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સે ટ્વવીટ કરીને પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

.

ABOUT THE AUTHOR

...view details