નવી દિલ્હીઃ વ્યાપારની રૂપમાં ભારતમાં આવેલા અંગ્રેજોએ ધીરે ધીરે ભારત પર જે રીતે કબ્જો કર્યો હતો. તેનો સમાજના અનેક વર્ગોએ પોતાની રીતે વિરોધ કર્યો હતો. અને 1857માં કરવામાં આવેલા વિરોધે અંગ્રોજોના મુળ પર વાર કર્યો હતો.
આજાદી માટે પહેલી આગ બંગાલમાંથી લાગી હતી, જ્યારે બ્રિટિશ સરકારએ ડિસેમ્બર 1856માં પોતાની જૂની બંદુકોની જગ્યાએ નવી રાઇફલનો ઉપયોગ શરૂ કર્યો હતો અને તેના કારતૂસ પર લગાવેલ કાગળને મોઢાથી કાપવો પડતો હતો.
બંગાળની સેનાને જ્યારે ખબર પડી કે આ કારતૂસમાં ગાય અને સુવરની ચર્બીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ચરબી ચર્બીવાળા કારતૂસનો ઉપયોગ કરવાના વિરોદ્ધ પહેલા બહરામપુરના સૈનિકોએ 26 ફેબ્રુઆરી 1857ના રોજ વિરોધ કર્યો હતો. આ વિદ્રોહની આ આગ જન વિદ્રોહમાં બદલી ગઇ અને તેને દેશમાં અંગ્રેજો વિરૂદ્ધની પહેલી જનક્રાંતિ કહેવામાં આવી હતી.
દેશ અને દુનિયાના ઇતિહાસમાં 26 ફેબ્રુઆરીના રોજ થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ...
320: ચંદ્રગુપ્ત પ્રથમને પાટલીપુત્રનો રાજા બનાવવામાં આવ્યો
1857: પશ્ચિમ બંગાળના બહારામપુરામાં આજાદીના દિવાનાઓએ અંગ્રેજો વિરૂદ્ધ પહેલુ સૈન્ય વિદ્રોહ શરૂ કર્યું.
1904: બંગાલી લેખિકા લીલા મજૂમદારનો જન્મ
1937: પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક મનમોહનનો જન્મદિવસ
1958: પિયાલી બરૂઆ અને દીવાન મણીરામ દત્તાને અસમના શાહી પરિવારને ફરીથી ગાદી પર બેસવાના પ્રયત્નોના કારણે ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા.