ગુજરાત

gujarat

બંગાળ હિંસા: TMCનો પલટવાર, કહ્યું- BJP કાર્યકર્તા બહારથી લાવ્યા હતા "ગુંડા"

ન્યૂઝ ડેસ્ક: કોલકાતામાં ભડકેલી હિંસા બાદ અમિત શાહે TMC પર વાર કર્યો હતો. જેના પલટવારમાં TMC નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, BJP અધ્યક્ષ અમિત શાહ બંગાળમાં બહારથી ગુંડા લાવ્યાં હતાં, આ ગુંડાઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પાડી હતી.

By

Published : May 15, 2019, 5:56 PM IST

Published : May 15, 2019, 5:56 PM IST

kolkata

બ્રાયને કહ્યું કે, વિદ્યાર્થીઓએ અમિત શાહને ફક્ત કાળા ઝંડા બતાવ્યાં હતાં, પરંતુ અમિત શાહે બંગાળમાં બહારથી ગુંડા બોલાવી રાખ્યાં હતાં.

તેમણે કહ્યું કે, અમારી પાસે બતાવવા માટે ફોટા છે, આ ફોટા ચૂંટણી સંબંધિત છે. અમારે કેન્દ્રીય બળ વિરુદ્ધ વ્યકિતગત રુપે કંઇ જ નથી કહેવું, પરંતુ ભાજપની હકીકત સામે આવે તે જરુરી છે. આ સાથે જ તેમણે વિદ્યાસાગરની તૂટેલી પ્રતિમા શેર કરતા આરોપ લગાવ્યો કે, આની પાછળ BJP કાર્યકર્તાઓનો હાથ છે.

ડેરેક ઓ બ્રાયનનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શાહે કહ્યું કે, જો હિંસા દરમિયામન CRPFના જવાનો હાજર ન હોત તો તેઓ પોતાનો જીવના બચાવી શક્યા ન હોત, સાથે જ શાહે આરોપ લગાવ્યો કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ BJP કાર્યકર્તાઓ દ્વારા નહીં પણ TMCના કાર્યકર્તાઓએ જ તોડી પડાઈ છે.

ABOUT THE AUTHOR

...view details