તિવાડીના કોંગ્રેસમાં જોડાયા પછી, તેમની પાર્ટીના પદીધિકારિયોં અને કાર્યકરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા પછી રાજકાણમાં ગરમાવો આવ્યો છે. આ બધા કાર્યકર્તાઓ તિવાડીના નિર્ણયથી નારાજ હોવાના કારણે આ પગલુ ભરવામાં આવશે.તમામ કાર્યકરોભારત વાહીનીના અધ્યક્ષ વિમલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ BJPમાં જોડાશે.
તિવાડી જોડાયા કોંગ્રેસમાં પરંતુ કાર્યકર્તાનો સાથ છુટયો - election
જયપુરઃ આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વરિષ્ઠ નેતા ધનશ્યામ તિવાડીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પરંતુ તિવાડીના આ નિર્ણયથી થોડા જ કલાકો પછી આની આડી અસર જોવા મળી હતી. તિવાડીના કોંગ્રેસમાં જોડાવાથી નારાજ ભારતીય વાહિની પાર્ટીના 100થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ તમામ કાર્યકર્તાઓ ભાજપના રાજ્ય પ્રમુખ મદનલાલ સૈનીની હાજરીમાં કેસરી સાફો ધારણ કરશે.
આપને જણાવી દઇએ કે, કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસ દરમિયાન જયપુરનાવરીષ્ઠ નેતા તિવાડીએકોંગ્રેસનો હાથ પકડ્યો હતો.કોંગ્રેસમાં જોડાયા પછી, તિવાડીએ કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને સુરક્ષિત કરવા આ પગલાં લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છેકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM વસુંધરા રાજે સાથે લાંબી નારાજગી પછી તિવાડીએ BJP છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તેમણે ભારતીય વાહિની નામની એક નવી પાર્ટી બનાવીને રાજકીય પક્ષ મેદાનમાં ઉતાર્યો હતો. પરંતુતેમની પાર્ટી કંઇ ખાસ કરી ન શકી તેમની પાર્ટી નિષ્ફળ રહી.