ભોપાલઃ મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં રવિવારે સવારે 5 વાગ્યે મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બે માલગાડી ટ્રેન સામસામે અથડાઈ હતી, જેમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)ના 2 ઑપરેટર અને 1 પોઇન્ટમેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મધ્ય પ્રદેશમાં 2 માલગાડી વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત - માલગાડીનો અકસ્માત
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રેલ્વે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં 2 માલગાડીઓ સામસામે અથડાઇ હતી.
![મધ્ય પ્રદેશમાં 2 માલગાડી વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6254732-thumbnail-3x2-m.jpg)
2 માલગાડીનો અકસ્માત, 3 લોકોનાં મોત
2 માલગાડીનો અકસ્માત, 3 લોકોનાં મોત
આ અકસ્માતમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. અકસ્માત બાદ માલગાડીના કોચને નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં રેલ્વે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
NTPCને સમયસર કોલસો પૂરો પાડવા માટે ઝડપથી પાટા સાફ કરવા એ પણ વિભાગ માટે કોઈ પડકારથી ઓછું નથી.