શુક્રવારે PM મોદી અમેરિકા જવા રવાના થશે. અમેરિકાના બે પ્રમુખ શહેરો હ્યુસ્ટન અને ન્યૂયોર્કમાં તેમની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. હ્યુસ્ટનને દુનિયાના ઉર્જાની રાજધાની એટલે કે, એનર્જી કેપિટલ પણ કહેવામાં આવે છે. શનિવારે ત્યાં પહોંચ્યા બાદ મોદી એક્સોકોનોબિલ અને બીપી સહિત 16 પ્રમુખ ઉર્જા ફર્મોના CEO સાથે બેઠક યોજશે. વડાપ્રધાન તરીકે મોદીનો આ ચોથો અમેરિકાનો પ્રવાસ છે.
બેઠક પહેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ક્હ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા વેપારમાં ઉર્જા પ્રમુખ ઘટક તરીકે સામે આવ્યું છે. અમેરિકાથી લગભગ ચાર બિલિયન ડૉલર તેલ અને ગેસની આયાત કરવામાં આવે છે અને અહીંયા આ કંપનીઓની સાથે બેઠક થવાનો અર્થ એ છે કે, આપણે બતાવવા ઇચ્છીએ છીએ કે, ભારત ન માત્ર એક મહત્વપૂર્ણ બજાર છે, પરંતુ રોકાણ અને અન્ય આર્થિક અવસરો પર પણ ચર્ચા કરવામાં આવશે.'
22 સપ્ટેમ્બર એટલે કે, રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીની સાથે બહુપ્રતિક્ષિત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. તેનું આયોજન પ્રવાસી ભારતીય સમુદાયે કર્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 50 હજાર ભારતીય-અમેરિકીઓ ભાગ લેશે. પ્રથમવાર કોઇ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ કોઇપણ ભારતીય PMની રેલીમાં ભાગ લેશે. આ ભારતીય સમુદાયના વધતા રાજકીય પ્રભાવને દર્શાવે છે.
જો કે, વડાપ્રધાન મોદી જ્યારે પણ બહાર જાય છે, ત્યારે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ તેમનો ટ્રેડમાર્ક બની ગયો છે. હ્યુસ્ટનથી પહેલા મોદી મેડિસન સ્કેયર 2014 અને સન જોસ 2015માં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરી ચૂક્યા છે.
વિદેશપ્રધાન ડૉ. એસ જયશંકરે મીડિયાને જણાવ્યું કે, 'હું એવા ભારતીય અમેરિકી સમુદાયની એક મોટી ઉપલબ્ધિના રૂપમાં માનું છું કે, જો આજે આટલા મોટા પાયે જ્યાં કાર્યક્રમ થઇ રહ્યો છે અને તેમાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિઓ આવી રહી છે. મને લાગે છે કે, આ વાસ્તવમાં બતાવે છે કે, આપણો સમુદાય ક્યાંથી ક્યાં પહોંચ્યો છે.'
2015 બાદ બીજીવાર PM મોદી જળવાયુ પરિવર્તન શિખર સમ્મેલનને સંબોધિત કરશે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ કરી રહ્યા છે.
ભારતનો સતત વિકાસ લક્ષ્ય, જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પ્રમુખ વિષય થશે. તે બાદ વડાપ્રધાન મોદી યુનિવર્સસ હેલ્થ કવરેજ શિખર સમ્મેલનમાં આયુષ્માન ભારત યોજના પર પ્રકાશ પાડશે. તેનું પણ આયોજન એંટોનિયો ગુટેરેસે જ કર્યું છે.
મોદી આતંકવાદીઓ અને હિંસકને લગતી કથાઓ માટે રણનીતિની પ્રતિક્રિયાઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરશે. આ બેઠકને સંયુક્ત રૂપથી હોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં જોર્ડનના રાજા, ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ, ન્યૂઝીલેન્ડના PM અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પણ ભાગ લેશે. તે ઉપરાંત જર્મન ચાંસલર મૈર્કેલ, કેન્યા અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસન પણ હાજર રહેશે.
મહત્વનું છે કે, મોદીએ માલદીવ અને શ્રીલંકાના પ્રવાસ પર આતંકવાદ નિરોધ પર વૈશ્વિક નેતૃત્વ શિખર સમ્મેલનને પણ સંબોધિન કર્યું હતું.
મોદી અને ટ્રમ્પ વચ્ચે અલગથી બિગ એપલમાં મંગળવારે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક રજૂ કરે છે.
આ વર્ષે જ મોદી અને ટ્રમ્પ વચ્ચે પણ 20 ઓસાકા શિખર સમ્મેલન અને G-7 બિયારીજ સમ્મેલન દરમિયાન અલગથી બેઠક થઇ હતી. બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓેનો પણ સમાવેશ છે.
UNમાં ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવણી કરવા માટે ગાંધીની પ્રાસંગિક્તા પર આયોજીત એક કાર્યક્રમમાં કોરિયાઇ રાષ્ટ્રપતિ, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને જમૈકાના પ્રધાનમંત્રીઓની સાથે ગુટેરેસ પણ ભાગ લેશે.