પોલીસે જણાવ્યું હતું કે, "સવારે 4,694 મુસાફરોનો બીજો એક સમૂહ ભગવતી નગર યાત્રી નિવાસથી કાશ્મીર ખીણપ્રદેશના સુરક્ષા કાફલામાં રવાના થઇ ગયા હતા. જેમાંથી 2,052 બાલટાલ અધાર શિબિર અને 2,642 પહેલગામ માટે બાકી છે."
જમ્મુથી રવાના થયેલો પહેલો જથ્થો 3.30 વાગે, જ્યારે બીજો જથ્થો 4.05 લાગ્યે રવાના થયો છે.
હવામાન વિભાગે પૂર્વાનુમાનમાં સાંજે સમય બાલટાલ-પવિત્ર ગુફા, પહલગામ-પવિત્ર ગુફાની આસપાસ સાધારણ વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરી મુસલમાનોએ પણ પોતાના હિંદુ ભાઇઓને વાર્ષિક તીર્થયાત્રા કરવામાં મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરી છે. વાસ્તવમાં બૂટા મલિક નામના એક મુસ્લિમ ગાયો ચરાવનાર વ્યકિતએ 1850માં અમરનાથ ગુફાની શોધ કરી હતી.