નવી દિલ્હીઃ 500 વર્ષ જેટલા લાંબા સંઘર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બનવા જઇ રહ્યું છે. કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે ત્યારે સમગ્ર ભારતના રામભક્તો આ ભૂમિ પૂજનને લઇને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના ઝંડેવાલાન મંદિરમાં પણ ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પુજારીઓએ જણાવ્યું કે, રામ મંદિરના સમર્થનમાં અહિંયા પણ શક્તિની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે.
ઇટીવી ભારત સાથે વાત કરતા મંદિરના પુજારીએ જણાવ્યું કે, માતાના મંદિરને શણગારવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તે આનંદની વાત છે. માતાના મંદિર માટે આ સમય મહત્વનો છે કારણ કે અહિંયા શક્તિનો નિવાસ છે. શક્તિની પૂજાથી જ દરેક કામ શક્ય થાય છે.