ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ વિમાન દુર્ઘટનાઃ પોલીસકર્મીએ બાળકને બચાવ્યું, ખેવાયેલા માતા-પિતા સાથે થયું મિલન - air-india-plane-crash

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે લપસી ગયું હતું. જેથી વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું. જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. આ વિમાન અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો, પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી નહોતી, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે હવે બાળકીના માતા-પિતાની મુલાકાત થઈ ગઈ છે.

Kozhikode plane crash
કેરળ વિમાન દુર્ઘટનાઃ પોલીસકર્મીએ બાળકને બચાવ્યું, ખેવાયેલા માતા-પિતા સાથે થયું મિલન

By

Published : Aug 8, 2020, 7:38 AM IST

કેરળઃ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે લપસી ગયું હતું. જેથી વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું. જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. આ વિમાન અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો, પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી નહોતી, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે હવે બાળકીના માતા-પિતાની મુલાકાત થઈ ગઈ છે.

દુબઈથી આવી રહેલા વિમાનમાં મોટાભાગના લોકો પરિવાર સાથે સવાર હતા. હાલમાં નિયમિત વિમાન સેવા બંધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાની સેવાનો લોકો લાભ લઈ રહ્યાં છે. જો કે, આ અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો, પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી શક્યા નહોતા. હવે મળતી માહિતી પ્રમાણે હવે બાળકીના માતા-પિતાની મુલાકાત થઈ ગઈ છે.

કેરળ વિમાન દુર્ઘટનાઃ પોલીસકર્મીએ બાળકને બચાવ્યું, ખેવાયેલા માતા-પિતા સાથે થયું મિલન

આ વિમાન દુર્ઘટના દરમિયાન ઘટના સ્થળ પરથી સિવિલ પોલીસ અધિકારી સાબીર અલીએ બાળકને હોસ્પિટલમાં ખસેડ્યું હતું. શરૂઆતમાં આ બાળકના માતા-પિતા મળી આવ્યા નહોતા. જેથી માતા-પિતાને શોધવા માટે મીડિયાના માધ્યમથી બાળકની એક તસવીર જાહેર કરવામાં આવી હતી. આ નોંધ સાથે બાળકનો ફોટો અને સંપર્ક ફોન નંબર પણ હતો. આ બાળકની તસવીર જોયા બાદ હોસ્પિટલમાં દાખલ બાળકના માતા-પિતાએ જાણ કરી હતી, ત્યારબાદ બાળકનું માતા-પિતા સાથે મિલન થયું હતું.

મહત્વનું છે કે, આ પ્લેનનું રન વે પર ક્રેશ લેન્ડિંગ થયું હતું. જ્યાં વિઝિબિલિટી 2000 મીટર હતી. જેથી રન વે નંબર 10 પર પ્લેન લપસીને આગળ ગયું અને ખાઇમાં પડી ગયું હતું. આ ઘટના બાદ પ્લેનમાં આગ નહોતી લાગી, કારણ કે તે સમયે વરસાદ વધુ પડી રહ્યો હતો. આ પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 174 પેસેન્જર અને 10 નવજાત બાળકો હતાં. હાલ બધા ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 19 લોકોના મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details