ગુજરાત

gujarat

KCR,YSR અને પટનાયક આગામી PM બનાવામાં મહત્વની ભૂમિકા નિભાવશે...!

By

Published : May 12, 2019, 1:10 PM IST

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી હવે ધીમે ધીમે તેના આખરી પડાવ તરફ ગતિ કરી છે. આજે છઠ્ઠા તબક્કાનું મતદાન પણ થઈ રહ્યું છે અને છેલ્લું મતદાન 19 મેના રોજ થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ આવશે. આ ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા સ્થાનિક પાર્ટીઓ તથા પ્રમુખ પાર્ટીઓના નેતાઓ વચ્ચે બેઠકો શરૂ થઈ ગઈ છે. જેની આગેવાની આંધ્રપ્રદેશના નેતા અને મુખ્યપ્રધાન ચંન્દ્રબાબૂ નાયડૂ કરી રહ્યા છે. તો આ બાજું તેલંગણાના મુખ્યપ્રધાન કેસીઆર પણ અલગ ફ્રન્ટ બનાવાની તરફેણ કરતા જોવા મળી રહ્યા છે.

etv

દેશમાં મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસની જરા હટી હવે સ્થાનિક પાર્ટીઓના નેતા દેશમાં ત્રીજો મોર્ચો બનાવાની ઉતાવળમાં લાગી ગયા છે.આ ત્રીજા મોરચામાં જોઈએ તો તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંન્દ્રશેખર રાવ ઉપરાંત ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક, આંધ્રના મુખ્યપ્રધાન ચંન્દ્રબાબૂ નાયડૂ તથા YSRને જો અમુક સીટ મળશે તો તેઓ પણ આ મોરચામાં જોડાઈ શકે છે.

વાસ્તવમાં જોઈએ તો આ તમામ નામ એટલા માટે બહાર આવી રહ્યા છે કે, કારણ કે ભાજપની વિરુદ્ધમાં મોરચા માંડવામાં આ નેતાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.જો કે, આ તમામ વાતનો જવાબ તો ત્યારે મળશે જ્યારે આ નેતાઓ પોતાના રાજ્યમાં સારી એવી સીટ જીતીને આવશે તો.

કેસીઆરે કર્ણાટકના સીએમ સાથે પણ વાતચીત કરી છે. તેમણે કેરળના મુખ્યપ્રધાન સાથે પણ વાત કરી છે. એવું કહેવાય છે કે, મમતા બેનર્જી સાથે પણ તેઓ સંપર્કમાં છે.

આ બાજુ વાઈએસઆર આંધ્રપ્રદેશમાં એક મોટી તાકાત બનીને બહાર આવી શકે છે. રાજકીય વિશ્લેષકોની માનીએ તો જો વાઈએસઆર મજબૂત થઈ રહી છે તો ક્યાંકને ક્યાંક ચંન્દ્રબાબૂ નાયડૂ કમજોર થશે.

આમ જોવા જઈએ તો વાઈએસઆરે હજૂ સુધી કોઈની સાથે જવાનો નિર્ણય કર્યો નથી. તેથી પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે કે, તેઓ કઈ બાજુ જાય છે.

નવીન પટનાયક ઓડિશાના મુખ્યપ્રધાન છે. ઓડિશામાં 21 સીટ છે તેમાંથી તેઓ કેટલી લઈ આવે છે તેના પર આધાર રાખશે કે તેમની રાજકીય બળ કેટલું ધરાવે છે.

વાઈએસઆરની માફક પટનાયકે પણ કોઈ પત્તું ખોલ્યું નથી તેમની રાજકીય નિર્ણય શક્તિ પર પરિણામ બાદ ખબર પડશે. જો કે, તેમના તરફથી નિવેદન આવ્યું હતું કે, રાજ્યના હિતમાં તેઓ નિર્ણય લેશે. ભાજપ અથવા કોંગ્રેસ જે પણ મજબૂત હશે તેના પક્ષમાં નિર્ણય લઈ શકે છે.

રાજકીય વિશ્લેષકોની માનીએ તો આ વખતે 2014 જેવી ભાજપની સ્થિતિ નથી. એટલે કે કમજોર ભાજપ હવે એનડીએમાં એ કામ નહીં કરી શકે જે તેઓ કરી રહ્યા હતાં. જો એનડીએ પાસે સીટ ઓછી આવી તો તેઓ સમર્થન શોધવા જવું પડશે. તેમની સાથે અમુક દળ જોડાઈ તેવી સંભાવના છે.

વાઈએસઆર, બીજદ અને કેસીઆર હજૂ સુધી સાર્વજનિક રીતે કઈ પણ કહેવા તૈયાર થયા નથી તેથી એનડીએની નજર તેમના પર ચોંટેલી છે.

આ તમામથી ચંન્દ્રબાબૂ નાયડૂની રાજનીતિ કંઈક અલગ જ રસ્તો શોધવામાં લાગી ગયા છે. નાયડૂઓ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં રહે. તેમણે ભાજપને હરાવાની વાત ચોક્કસ કહી છે. તેથી તેઓ ભાજપથી અલગ પાર્ટીઓના સંપર્કમાં જઈ રહ્યા છે.

સવાલ એ પણ છે કે, નાયડૂ શું કેસીઆરને પોતાના પક્ષમાં લાવી શકશે. આ બંનેની રાજકીય દુશ્મની કોઈનાથી છૂપાયેલી નથી. હાલમાં જ તેલંગણામાં થયેલી ચૂંટણીમાં બંને વચ્ચે સારી એવી તકરાર થઈ હતી.

નાયડૂ તથા વાઈએસઆર એક સાથે આવશે તેવું લાગતું તો નથી. બંને એક રાજ્યમાં એકબીજાની વિરુદ્ધ લડી રહ્યા છે.

એવામાં બીજદ એક જ એવી પાર્ટી બચી છે જે નાયડૂ સાથે વાતચીત કરી શકે છે. બીજદને કોંગ્રેસ પણ પોતાની સાથે રાખવામાં પરસેવો પાડી રહ્યું છે. પણ નાયડૂ અને મમતા આ બંને નેતાઓ બીજદને મનાવી શકે છે.

આ બધા વાતની સાર એટલો જ છે કે, પરિણામ આવ્યા બાદ બીજદ, વાઈએસઆર અને કેસીઆર નિર્ણાયક ભૂમિકા ભજવશે. શરત એટલી છે કે, ભાજપને ઓછી સીટ આવે અને એનડીએ સરકાર બનાવા માટે આગળ આવે તો આ નેતાઓ મહત્વના સાબિત થશે. આવું જ કોંગ્રેસ પાર્ટી અને યુપીએ માટે પણ આ જ સ્થિતિ હશે.

ABOUT THE AUTHOR

...view details