નૈનીતાલથી પણ વૈજ્ઞાનિકો તમિલનાડુ જશે અને સૂર્ય ગ્રહણ પર અભ્યાસ કરશે. દીપાંકરે જણાવ્યું કે, આ વખતે સૂર્ય ગ્રહણ ફરતે અગ્નિના રિંગ્સ દેખાશે, જેનું દ્રશ્ય ખૂબ જ આકર્ષક હશે.
26 ડિસેમ્બર 2019ના રોજ અંતિમ સૂર્યગ્રહણ, દક્ષિણ ભારતમાં ઉત્સાહ - solar eclipse
નૈનીતાલ: વર્ષ 2019ના અંતિમ સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થશે. જે ભારતના તમિલનાડુ સહિત દક્ષિણમાં દેખાશે. સૂર્ય ગ્રહણ સવારે 9 વાગ્યાથી 1:35 સુધી જોઈ શકાશે. નૈનીતાલ એરિઝના ડાયરેક્ટર દીપાંકર બેનર્જીએ કહ્યું કે, 26 ડિસેમ્બરના રોજ થનાર ગ્રહણ પર દેશભરના વૈજ્ઞાનિકોની નજર છે.
ભારતમાં અર્ધ સૂર્ય ગ્રહણ તમિળનાડુ, મદુરાઇ, કોઝિકોડ, કેરળ, કોઈમ્બતુર, બેંગલુરુ સહિત અન્ય સ્થળોમાં આવશે, જ્યારે સૂર્યગ્રહણ ભારતના અન્ય ભાગોમાં આંશિક રૂપે દેખાશે. એરિઝના ડિરેક્ટર જણાવે છે કે, ચંદ્ર પૃથ્વીની એટલી નજીક હશે કે સંપૂર્ણ સૂર્યગ્રહણનો સમયગાળો એટલો જ વધારે હશે.
આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એરિઝ) ના ડિરેક્ટર દિપાંકર બેનર્જીએ જણાવ્યું કે, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અગ્નિ જેવું હશે. 10 વર્ષ બાદ આવું અર્ધ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જે એક દુર્લભ ખગોળશાસ્ત્રીય ઘટના છે.