મહિલાઓ માટે સમાનતા અને તેમના અધિકારો પ્રજાસત્તાનાં શરૂઆતનાં વર્ષોમાં કેટલાક અવરોધો સાથે શરૂ થયા હતા પરંતુ ૧૯૫૦ના દાયકાની મધ્યમાં હિન્દુ સંહિતાના પસાર થવાથી એક બારી ખુલી હતી, તેમ કહી શકાય. પ્રગતિ ધીમી હતી પરંતુ સ્થિર હતી. માતૃત્વના લાભનો અધિનિયમ અને દહેજ પર પ્રતિબંધનો અધિનિયમ ૧૯૬૧માં લવાયો હતો. પરંતુ એકલા કાયદાથી સમાજમાં બધું બદલી શકાય નહીં. ઉદાહરણ રૂપે, ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૩૦૪ બી દહેજથી મૃત્યુને ઘૃણાસ્પદ ગુનો બનાવે છે. શું તેણે દહેજથી થતાં મૃત્યુને અટકાવ્યાં છે? રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા સૂચવે છે કે લગભગ દર કલાકે દહેજથી મૃત્યુ થાય છે. આ જ રીતે ઘરેલુ હિંસાથી મહિલાની સુરક્ષા, કાર્ય સ્થળે મહિલાની જાતીય સતામણી પર રોક, પ્રતિબંધ અને નિવારણ માટેના કાયદાઓ ખરેખર અસરકારક રહ્યા છે? આ કાયદાઓ ખૂબ જ જરૂરી હતા અને તેને આવવામાં ઘણો સમય લાગ્યો અને સારા સમાચાર એ છે કે તેઓ આવી ગયા અને તેમણે બંધારણે જે તેમના અધિકારોની કલ્પના કરી છે તેમાંના કેટલાક પર દાવો કરવા માટે મહિલાઓને સશક્ત બનાવી છે.
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (ડીપીએસપી)માં રાજ્યએ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે તમામ પુરુષો અને મહિલાઓને આજીવિકાનાં પૂરતાં સાધનોનો અધિકાર હોય અને સમાન કામ માટે સમાન ચૂકવણી થાય. બંધારણ પંચાયત અને નગરપાલિકાઓમાં (અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત) મહિલાઓ માટે બેઠકોની અનામતની જોગવાઈ પણ કરે છે. પરંતુ આપણી પાસે (સત્તામાં રહેલા નેતાઓ સહિતના લોકો તરફથી સહિત) જાવેર નિવેદનો છે જે સૂચવે છે કે મહિલાઓનું સ્થાન ઘરે છે. એ સામાન્ય જાણકારીની વાત છે કે થોડી મહિલાઓ ખરેખર તો કેટલીક અનામત બેઠકો પર ખરેખર નામ માત્રની હોય છે. આથી કાયદાઓ એકલા પૂરતા નથી- આપણે આપણા બંધારણના ઘડવૈયાઓએ જે કલ્પના કરી હતી અને ઈચ્છ્યું હતું તે સશક્તિકરણ પ્રાપ્ત કરવા માનસકિતા બદલવાની જરૂર છે.
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (ડીપીએસપી)માં રાજ્યએ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે તમામ પુરુષો અને મહિલાઓને આજીવિકાનાં પૂરતાં સાધનોનો અધિકાર હોય અને સમાન કામ માટે સમાન ચૂકવણી થાય. બંધારણ પંચાયત અને નગરપાલિકાઓમાં (અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત) મહિલાઓ માટે બેઠકોની અનામતની જોગવાઈ પણ કરે છે. પરંતુ આપણી પાસે (સત્તામાં રહેલા નેતાઓ સહિતના લોકો તરફથી સહિત) જાવેર નિવેદનો છે જે સૂચવે છે કે મહિલાઓનું સ્થાન ઘરે છે. એ સામાન્ય જાણકારીની વાત છે કે થોડી મહિલાઓ ખરેખર તો કેટલીક અનામત બેઠકો પર ખરેખર નામ માત્રની હોય છે. આથી કાયદાઓ એકલા પૂરતા નથી- આપણે આપણા બંધારણના ઘડવૈયાઓએ જે કલ્પના કરી હતી અને ઈચ્છ્યું હતું તે સશક્તિકરણ પ્રાપ્ત કરવા માનસકિતા બદલવાની જરૂર છે.