ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સીબીઆઇને પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમ વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નહીં - સીબીઆઇ

સીબીઆઇએ બોમ્બે હાઇકોર્ટને કહ્યું કે, પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમ તેમજ બે અન્ય અધિકારીઓ વિરૂદ્ધ 63 મૂન્સ ટેક્નોલોજીઝ કંપનીના આરોપોને સાબિત કરવા માટે તેને કોઇ પુરાવા મળ્યા નથી.

P Chidambaram
P Chidambaram

By

Published : Aug 14, 2020, 9:15 AM IST

નવી દિલ્હીઃ જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ એનજે જામદારની બેન્ચ જિગ્નેશ શાહની કંપની 63 મૂન્સની અરજી પર સુનાવણી કરી રહી હતી.

બેન્ચની સામે સીબીઆઇના વકીલ હિતેન વેનગાવકરે એજન્સી તરફથી એક શપથપત્ર રજૂ કર્યું હતું. જેમાં કંપની તરફથી દાખલ ફરિયાદ નાણા મંત્રાલયના આર્થિક કેસના વિભાગના ચીફ વિજિલેન્સ ઓફિસરને મોકલવામાં આવી છે.

63 મૂન્સના વકીલે આ મામલે હાઇ પ્રોફાઇલ ષડયંત્ર બતાવતા તપાસ કરવાની માગ કરી છે. કોર્ટે આ મામલે ત્રણ મહીના બાદની તારીખ નક્કી કરી છે. કંપની તરફથી 15 ફેબ્રુઆરી, 2019 સીબીઆઇની પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડના અરબો રુપિયાનું પેમેન્ટ ડિફોલ્ટ ગોટાળો સામે આવવા પર ચિદમ્બરમ અને અન્ય બે અધિકારીઓએ પોતાના પદનો દુરૂપયોગ કરીને કંપનીને નુકસાન પહોંચાડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details